વીજ કંપનીમાં કોવિડ બીમારીથી જે તે વખતે મૃત્યુ પામેલા કર્મચારી કે તેના સગાના મૃત્યુ સરકાર દ્વારા જાહેર કરાયેલી 25 લાખની સહાય મંજૂર કરવાના બહાને પાંચ લાખ સુધીના ઉઘરાણા કરવાના ચકચારી પ્રકરણમાં એમડી પ્રીતિ શર્મા દ્વારા પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના એચઆર વિભાગના કર્મચારી અને ધ્રોલના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોરોના કાળમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામનાર પ૪ કર્મચારીઓને રપ-રપ લાખની સહાય મંજૂર કરવાના કિસ્સામાં પીજીવીસીએલ.ના બે કર્મચારીઓ ધ્રોલના ડે.ઇજનેર કે. એન. આહીર અને કોર્પોરેટર ઓફીસના એચ. આર. ડિપાર્ટમેન્ટના આસી. સેક્રેટરી આર. એ. મોદીને ૧૦ લાખના ઉઘરાણાની ઓડીયો ટેપમાં ઝપટે ચડતા એમ. ડી. પ્રીતિ શર્માએ સસ્પેન્ડ કરી દેતા વીજ કંપની વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડે. ઇજનેરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર અને એ ચાર વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરીની બદલી અંજાર ખાતે કરવામાં આવી છે.
સરકારે સહાય મંજૂર કરતા કોર્પોરેટ ઓફિસ અને ધ્રોલ સબ ડિવિઝનના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયા હતા. તેમાં કોર્પોરેટ ઓફીસમાં એચ.આર. વિભાગના આસી.સેક્રેટરી રૂપેશ મોદી અને ધ્રોલ સબ ડિવિઝનના ડે. ઈજનેર કે. એન. આહિર (મિયાત્રા) દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારને ૨૫ લાખની સહાય મંજૂર કરાવવા રૂ.૧૦ લાખ આપવાની માંગણી કરવામાં આવતી હતી. આ ઓડિયો વાયરલ થયા બાદ વીજ કર્મચારીઓના એજીવીકેએસ અને જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા કર્મચારીઓ જોગ ચેતવણી બહાર પાડવામાં આવી હતી, ત્યારબાદ આ પગલા આવી પડ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી એરપોર્ટ પર ત્રણ મહિના માટે 200થી વધુ ઉડાન પર અસર
June 07, 2025 10:41 AMબજારોમાં કેરીની મોસમ સાથે જાંબુડા–રાવણાનું આગમન
June 07, 2025 10:37 AMશાળા પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલા વ્યવસ્થાપન કમિટીઓની રચના પુરી કરવાનો આદેશ
June 07, 2025 10:36 AMઆતંકી સંગઠન જૈશના મુખ્યાલય પર લાગ્યું પર્મેનન્ટ કલોઝડનું ટેગ
June 07, 2025 10:20 AM45 વર્ષ બાદ મંદ પડી નર્કના દરવાજાની આગ : વૈજ્ઞાનિકોની ભૂલને કારણે શરૂ થઈ હતી જ્વાળા
June 07, 2025 10:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech