વધુ આત્મવિશ્વાસ અને આડેધડ ટિકિટો આપવાને લીધે ભાજપને નુકસાન : પીકે

  • June 08, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રખર ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સૂરાજ પક્ષના ના વડા પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ઝટકાનું કારણ જણાવતા કહ્યું કે ભાજપ માનતું રહ્યું કે અમે ચોક્કસપણે જીતીશું. આ વધુ પડતો આત્મવિશ્વાસ અને આડેધડ ટીકીટો આપવાને કારણે ભાજપે નુકસાન સહન કરવું પડું છે. ભાજપના ૨૦૮ જૂના સાંસદો જીત્યા છે, પરંતુ હાર્યા એ છે યાં ઉમેદવારને જોયા વિના ગમે તેને ટિકિટ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર વગેરેમાં જે પ્રકારના ઉમેદવારો આપવામાં આવ્યા તેના કારણે તેઓ હારી ગયા. ભાજપને ખબર હતી અને તેમના આંતરિક સર્વેમાં એ પણ બહાર આવ્યું હતું કે કયા ઉમેદવારો હારી રહ્યા છે, પરંતુ તેઓએ ચિંતા કર્યા વિના કહ્યું કે પીએમ મોદીની રેલી હશે તો જીત થશે. એવી ઘણી બેઠકો છે યાં ભાજપે સર્વેની વિદ્ધ જઈને ટિકિટ આપી.

સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ વાત કરતા પૂર્વ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું, જેણે સૌપ્રથમ સ્લોગન લખ્યું કે '૪૦૦ને પાર' એમાં કઈં ખોટું નહોતું, પણ એ તો અડધું સૂત્ર હતું. જો ૪૦૦ પાર જોઇતી જ હતી તો તેના માટે કારણ શું હતું એ તો સૂત્રમાં જણાવાયું જ નહીં. ૨૦૧૪માં સ્લોગન લખવામાં આવ્યું હતું કે 'બહોત હત્પઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર'. ત્યારે મોદી સરકારનું કારણ એ હતું કે, મોંઘવારી ઘટાડવી પડશે. આ વખતે તમે ૪૦૦ પાર કહ્યું. આનાથી કેટલાક લોકોને લાગ્યું કે આ તમાં અભિમાન છે. યારે કેટલાકને લાગ્યું કે આ એક ષડયત્રં હતું, જેને વિપક્ષે બંધારણ બદલવા તમે ૪૦૦ પાર કરી રહ્યા છો તે સાબિત કરી દીધું.
બીજી બાજુ, યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાજપની નબળી કડી શું છે, તો પીકેએ જવાબ આપ્યો કે મોદી પર વધુ પડતી નિર્ભરતા છે. બન્યું એવું કે ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું કે ૪૦૦ સીટો આવી રહી છે, એટલે હવે ઉમેદવારને પાઠ ભણાવવો છે. બિહારની જેમ જ યારે તમે આરકે સિંહ વિશે કોઈની સાથે વાત કરો છો, તો તેઓ કહેશે કે તેણે ખૂબ સાં કામ કયુ છે, પરંતુ કાર્યકરો ગુસ્સે હતા કે તેમના પર ધ્યાન જ આપવામાં આવ્યું નથી. ભાજપના સમર્થકોએ વિચાયુ કે ૪૦૦નો આંકડો વટાવી રહ્યો છે, તો શું કરવું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application