શહેરમાં આગામી દિવસોમાં 20થી વધુ સ્થળોએ જર્જરીત મકાનો તોડી પડાશે

  • May 23, 2024 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત 148 ઇમારતોને નોટીસ આપ્યા બાદ વધુ જર્જરીત ઇમારતો તાત્કાલીક તોડવા કમિશ્નરનો આદેશ


જામનગર શહેરમાં દર વખતે પ્રિ-મોનસુનની કામગીરી કરવા માટે કોર્પોરેશનની એસ્ટેટ અને ટીપીઓ શાખા વધુ જર્જરીત અને જર્જરીત મકાનો તોડવા માટે પગલા ઉઠાવે છે ત્યારે ગઇકાલે એક ઇમારતની દિવાલ તોડી પડાયા બાદ આગામી દિવસોમાં 20થી વધુ જર્જરીત મકાનો તોડી પાડવામાં આવશે તેમ જાણવા મળે છે.


કોર્પોરેશનના સીટી ઇજનેર ભાવેશ જાનીની સુચનાથી ટીપીઓ શાખાના ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ, એસ્ટેટ શાખાના મુકેશ વરણવા, સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફ દ્વારા 148 જેટલી જર્જરીત ઇમારતોને અગાઉ નોટીસ આપવામાં આવી છે, દર વખતે ચોમાસામાં 4 થી 5 જેટલી ઇમારતો તુટી પડતી હોય છે, તો કયારેક જાનહાની પણ થાય છે, એક તરફ કોર્પોરેશન દ્વારા નદી, નાળા, કેનાલની સફાઇ કરવામાં આવી રહી છે, બીજી તરફ એસ્ટેટ શાખા દ્વારા લોકો માટે ભયજનક એવી 20થી વધુ ઇમારતો આગામી દિવસોમાં તોડી પાડવા માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.


આમ ખરેખર તો 148થી વધુ ઇમારતોમાંથી કેટલીક ઇમારતો એવી છે કે તે ગમે ત્યારે પડી જાય તેવી શકયતા છે, માટે આવી ઇમારતો હવે ચોમાસાની એક મહીનાની વાર છે ત્યારે આવી ઇમારતોને તાત્કાલીક અસરથી તોડી પાડવા કોર્પોરેશને હવે ઝડપી કામગીરી કરવી પડશે, કોઇની જાન જાય એ પહેલા જ આવી ઇમારતોને તોડી પાડવા તાત્કાલીક આદેશ આપવા પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application