સુરેન્દ્રનગર જિલ્લ ાના વાંટાવચ્છ ગામના મૂળ રહેવાસી અને હાલમાં સોજીત્રા મુકામે રહેતા દેવરાજભાઇ વાઘાભાઇ રબારી (લવતુકા)એ ફોર્ડ કંપનીની એક લકઝરી કાર ખરીદી હતી, જેની વીમા-પોલીસી મહેસાણા સ્થિત ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લીમીટેડ પાસેથી લીધેલ હતી. આ લકઝરી કાર લઇને કાર માલિક દેવરાજભાઇ રબારી અને તેમના અન્ય ત્રણ મિત્રો રાજસ્થાન રાજયના પ્રવાસે ગયેલ હતા, ત્યારે કુંભલગઢ નજીક કાર-ચાલકે સ્ટેરીંયગ પર કાબૂ ગુમાવતા કારને અકસ્માત થયેલ હતો, જેમાં કારમાં સવારી કરતા સૌને નાની-મોટી ઇજાઓ થયેલ હતી, પરંતુ ફોર્ડ કંપનીની આ લકઝરી કાર ભાંગીને ભુકો થઇ ગયેલ હતી. ત્યારબાદ કાર માલિકે વીમા-કંપનીને આ અંગે સમયસર જાણ કરી હતી પરંતુ વીમા કંપનીએ કરાવેલ સર્વેમાં, આ કારમાંથી બીયરનું એક ઢાંકણું મળી આવતાં, અકસ્માત સમયે કારચાલકે આલ્કોહોલનું સેવન કરીને અકસ્માત કરેલ હોવાનું અનુમાન કરીને, આ કારની વીમા-પોલીસીના નીતિ-નિયમોનું પાલન ન કરવા માટે, રૂપિયા ૨૧ લાખથી વધુ રકમની વીમા-કલેઇમની ચુકવણી કરવાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દિધા હતાં.
કારના માલિક દેવરાજભાઇ વાઘાભાઇ રબારી (લવતુકા)એ ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદના એડવોકટ ડો.ડીબી દેસાઇનો સંપર્ક સાધી, સઘળી હકીકત જણાવતાં, એડવોકટ ડો.ડીબી દેસાઇએ મહેસાણા સ્થિત ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લીમીટેડને, રૂપિયા ૨૧ લાખથી વધુ વીમા-કલેઇમની રકમ ચુકવી આપીને, પોતાની જવાબદારી નિભાવવા માટે લીગલ નોટીસ ઠપકારેલ હતી, તેમ છ્તાં આ વીમા-કંપનીને પેટનું પાણી ન હલતા, છેવટે જિલ્લ ા ગ્રાહક તકરાર નિવારણ કમિશન-મહેસાણા મુકામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ કેસ દાખલ કરેલ હતો.
આ કેસની કાર્યવાહી દરમ્યાન એડવોકટ ડો.ડીબી દેસાઇએ ગ્રાહક અદાલત-કમિશન સમક્ષ જણાવેલ કે પોતાના અસીલ પોતે કાયદાની માહિતીથી અજ્ઞાત હોઇ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હોવાથી, વીમા-કંપની તરફથી આ લકઝરી કારની વીમા-પોલીસીના તમામ નીતિ-નિયમોથી વાકેફ કર્યા વગર જ સહીઓ લીધેલ છે. વળી, વીમા-કંપની તરફથી નામદાર અદાલત સમક્ષ રજૂ થયેલ દસ્તાવેજોમાં જ પાયાનો વિરોધાભાસ જણાઇ આવે છે. તદુપરાંત, આ કામે રજૂ રાખેલ મેડીકલ પેપર્સ પણ અકસ્માત સમયે કારચાલકે આલ્કોહોલનું સેવન કરેલ હોઇ, એ બાબતનું સમર્થન કરતાં નથી. વીમા-કંપની તરફથી રજૂ થયેલ જજમેન્ટ જ વીમા-કંપનીને સહાયરૂપ થતાં નથી.
અંતે, બન્ને પક્ષકારો પૈકી એડવોકટ ડો.ડીબી દેસાઇ મારફતે થયેલ વિદ્વતાપૂર્ણ અને ટુ ધ પોઇન્ટ રજુઆતો-સહ-દલીલો તેમજ આધાર-દસ્તાવેજોને ગ્રાહ્ય રાખતાં, નામદાર ગ્રાહક અદાલતે સામાવાળા વીમા-કંપનીને, રૂપિયા ૨૧.૫૦ લાખ જેટલી માતબર વીમા-કલેઇમની રકમ, કેસની દાખલ તારીખથી ૮ ટકા વ્યાજ સાથે તેમજ માનસિક યાતના અને પીટીશન ખર્ચ અંગે પણ અલગથી રકમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ ફરમાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech