કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ, ૨૦૨૪માં એક સુધારો રજૂ કર્યેા છે, જે અંતર્ગત કરદાતાઓ ૨૩ જુલાઇ, ૨૦૨૪ પૂર્વે ખરીદેલી સ્થાવર મિલકતો માટે ઇન્ડેકસેશન વિના ૧૨.૫ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ કે ઇન્ડેકસેશન સાથે ૨૦ ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ એમ બે વિકલ્પમાંથી કોઇ એક વિકલ્પની પસંદગી કરી શકશે.
સરકારે ૨૩ જુલાઇ પહેલાં ખરીદવામાં આવેલી અનલિસ્ટેડ સિકયોરિટીઝ ૧૦% એલટીસીજી પર પાછી લાવવાની પણ દરખાસ્ત કરી છે. ગયા મહિને બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ ૨૦ ટકાથી ઘટાડીને ૧૨.૫ ટકા કર્યેા હતો. જોકે ૨૦૦૧માં કે તે પછી ખરીદેલી સ્થાવર મિલકતો માટે ઇન્ડેકસેશન બેનિફિટ દૂર કરી દેવાયો હતો. મતલબ કે સ્થાવર મિલકત વેચનારે ફુગાવો એડજસ્ટ કર્યા વિના સમગ્ર ગેઇન પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ ચૂકવવો પડે. બજેટની આ જોગવાઇને પગલે રિયલ એસ્ટેટ સેકટરમાં અવઢવ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ઇન્ડેકસેશન લાભને કારણે સ્થાવલ મિલકત વેચનાર વ્યકિત કેપિટલ ગેઇન્સની ગણતરી કરતી વખતે ફુગાવાની અસર એડજસ્ટ કરી શકતી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્રારા પ્રકાશિત કોસ્ટ ઇન્લેશન ઇન્ડેકસના આધારે ફુગાવાની અસરની ગણતરી કરવામાં આવતી હતી. ઇન્ડેકસનો આધાર ૧ એપ્રિલ, ૨૦૦૧ નક્કી કરવામાં આવ્યો હતો અને તેની વેલ્યૂ ૧૦૦ હતી. ડેટા મુજબ બાંધકામ હેઠળની મિલકતોની સરેરાશ કિંમત લગભગ સાત ગણી વૃદ્ધિ પામી છે યારે એકંદરે રિયલ એસ્ટેટ સેકટર ૨૦૦૯થી લગભગ ચાર ગણું વધ્યું છે.
નિર્મલા સીતારામન નાણાવર્ષ ૨૦૨૪–૨૫ માટેનું ફાઇનાન્સ બિલ આજે બુધવારે લોકસભામાં ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરશે. આ બિલ બજેટ દરખાસ્તો લાગુ કરવા માટે જરી છે, જેને સંસદના બંને ગૃહોની મંજૂરી જરી છે. ગત ૨૩ જુલાઇએ રજૂ કરાયેલું બજેટ ૨૨ જુલાઇએ સત્ર શ થયું ત્યારથી સંસદીય સમીક્ષા હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech