ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 27 મી ના રોજ અત્રે જામનગર હાઈવે રોડ પર આવેલી એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પ અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ આંખની હોસ્પિટલના ડોક્ટરો અને ટેક્નીશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ખાસ બસ મારફતે રાજકોટ લઈ જઈ અને ઓપરેશન સાથે નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.
આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓની સારવાર કરશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી દ્વારા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech