અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે માત્ર પ્રથમ પત્ની જ પેન્શન મેળવવા માટે હકદાર છે. કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આદેશ આપ્યો છે કે તેઓ ત્રણ વખત લ કરનાર મુસ્લિમ કર્મચારીની પ્રથમ પત્નીને પેન્શનની ચુકવણી પર બે મહિનામાં નિર્ણય કરી લે અને તેનો અમલ શ કરી દે.જસ્ટિસ પ્રકાશ પડિયાએ સુલતાના બેગમની અરજી પર આ આદેશ આપ્યો હતો.અને જણાવ્યું હતું કે ભલે મુસ્લિમોમાં એક કરતા વધુ લોને મંજુરી છે પરંતુ પેન્શનની હકદાર તો પહેલી પત્ની જ બને. એને નિભાવ ભથ્થું મળવું જ જોઈએ.
અરજદાર સુલતાના બેગમના પતિ મોહમ્મદ ઈશાક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારી હતા. તેણે ત્રણ વખત લ કર્યા હતા. બીજી પત્નીનું અવસાન થયું છે. ઈશાકના મૃત્યુ પછી ફેમિલી પેન્શન ત્રીજી પત્ની શાદમાને જવાનું શ થયું. સુલતાનાએ પેન્શન માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને પત્ર લખીને તેને ફેમિલી પેન્શન આપવા વિનંતી કરી હતી. સુનાવણી ન થતાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.પિટિશનરના વકીલ ડીસી દ્રિવેદી, શશિ ધર દ્રિવેદીએ કહ્યું કે જુનુફા બીબી વિ પધ્મા બેગમમાં ગુહાહાટી હાઈકોર્ટની ફુલ બેંચના નિર્ણયમાં કોર્ટે નિર્ણય કર્યેા છે કે મુસ્લિમ કાયદા હેઠળ માત્ર પ્રથમ પત્નીને જ ફેમિલી પેન્શન મેળવવાનો અધિકાર છે. કેન્દ્ર સરકારના ફેમિલી પેન્શનના નિયમો અનુસાર માત્ર પહેલી પત્નીને જ ફેમિલી પેન્શન મળવું જોઈએ. પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે વાઇસ ચાન્સેલરને અરજદાર અને વિપક્ષને સાંભળ્યા બાદ બે મહિનામાં નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech