બદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક

  • April 10, 2025 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચારધામ યાત્રા 2025ને ધ્યાનમાં રાખીને શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં પૂજા કરવા માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી છે. પહેલા દિવસે બંને ધામમાં કુલ 93 પૂજા ઓનલાઈન બુક થઈ હતી.


BKTCના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થપલિયાલે જણાવ્યું હતું કે, આ યાત્રા વર્ષે કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે. જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે. તીર્થયાત્રીઓ મંદિર સમિતિની અધિકૃત વેબસાઈટ www.badrinath-kedarnath.gov.in પર જઈને 30 જૂન સુધી બદ્રીનાથ અને કેદારનાથમાં થતી સવાર, સાંજ અને લાંબા ગાળાની પૂજાઓ બુક કરી શકે છે.


કેદારનાથ માટે 61 શોડશોપચાર પૂજા બુક

પ્રથમ દિવસે ગુરુવારે બદ્રીનાથ માટે 32 મહાઅભિષેક અને અભિષેક પૂજા, જ્યારે કેદારનાથ માટે 61 શોડશોપચાર પૂજા બુક થઈ હતી. પૂજા માટેના શુલ્કમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.


ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરવું

- ભક્તો શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિરની સત્તાવાર વેબસાઇટ www.badrinath-kedarnath.gov.in પર પૂજા બુક કરાવી શકે છે.

- જો તમે ગુગલ પર વેબસાઇટ સર્ચ કરશો, તો પૂજાની વિગતો અને બુકિંગ વિકલ્પ આપવામાં આવશે.

- જ્યાં ભક્તે પોતાનું અને પોતાના પરિવારના સભ્યો, કુળ અને શહેરનું નામ નોંધાવવાનું રહેશે.

- આ ઉપરાંત કઈ પૂજા કરવાની છે તેનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે.


બદ્રીનાથ અને કેદારનાથમાં કરવામાં આવે છે પૂજા

- બદ્રીનાથ ધામની પૂજાઓમાં અભિષેક, મહાભિષેક પૂજા, વેદ પઠન, ગીતા પઠન, વિષ્ણુ સહસ્ત્રનામ પૂજા, ચાંદીની આરતી, સોનાની આરતી, ગીતા ગોવિંદા પઠન અને શયન આરતીનો સમાવેશ થાય છે.

- કેદારનાથની પૂજામાં રૂદ્રાભિષેક પૂજા, લઘુ રુદ્રાભિષેક મહામૃત્યુંજય પાઠ, ષોડશોપચાર પૂજા, સાંજની આરતી વગેરેનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application