ચારધામ યાત્રા 2025ને ધ્યાનમાં રાખીને શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં પૂજા કરવા માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી છે. પહેલા દિવસે બંને ધામમાં કુલ 93 પૂજા ઓનલાઈન બુક થઈ હતી.
BKTCના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થપલિયાલે જણાવ્યું હતું કે, આ યાત્રા વર્ષે કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે. જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે. તીર્થયાત્રીઓ મંદિર સમિતિની અધિકૃત વેબસાઈટ www.badrinath-kedarnath.gov.in પર જઈને 30 જૂન સુધી બદ્રીનાથ અને કેદારનાથમાં થતી સવાર, સાંજ અને લાંબા ગાળાની પૂજાઓ બુક કરી શકે છે.
કેદારનાથ માટે 61 શોડશોપચાર પૂજા બુક
પ્રથમ દિવસે ગુરુવારે બદ્રીનાથ માટે 32 મહાઅભિષેક અને અભિષેક પૂજા, જ્યારે કેદારનાથ માટે 61 શોડશોપચાર પૂજા બુક થઈ હતી. પૂજા માટેના શુલ્કમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરવું
- ભક્તો શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિરની સત્તાવાર વેબસાઇટ www.badrinath-kedarnath.gov.in પર પૂજા બુક કરાવી શકે છે.
- જો તમે ગુગલ પર વેબસાઇટ સર્ચ કરશો, તો પૂજાની વિગતો અને બુકિંગ વિકલ્પ આપવામાં આવશે.
- જ્યાં ભક્તે પોતાનું અને પોતાના પરિવારના સભ્યો, કુળ અને શહેરનું નામ નોંધાવવાનું રહેશે.
- આ ઉપરાંત કઈ પૂજા કરવાની છે તેનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે.
બદ્રીનાથ અને કેદારનાથમાં કરવામાં આવે છે પૂજા
- બદ્રીનાથ ધામની પૂજાઓમાં અભિષેક, મહાભિષેક પૂજા, વેદ પઠન, ગીતા પઠન, વિષ્ણુ સહસ્ત્રનામ પૂજા, ચાંદીની આરતી, સોનાની આરતી, ગીતા ગોવિંદા પઠન અને શયન આરતીનો સમાવેશ થાય છે.
- કેદારનાથની પૂજામાં રૂદ્રાભિષેક પૂજા, લઘુ રુદ્રાભિષેક મહામૃત્યુંજય પાઠ, ષોડશોપચાર પૂજા, સાંજની આરતી વગેરેનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMસીએમએ કોર્પોરેટરોને કહ્યું આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો જવાબ આપીશ
June 07, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech