ધોરાજીમાં કોયાણી ચોક પાસે થાર કારએ રીક્ષાને ઠોકરે લેતા એકનું મોત: ત્રણને ઇજા

  • May 22, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં માતાવાડી કોયાણી ચોક પાસે ાર ગાડીએ રિક્ષાને હડફેટે લેતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.જેમાં રિક્ષાચાલક અને રિક્ષામાં સવાર ત્રણ મુસાફરને ઈજા પહોંચી હતી.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક મુસાફરનું મોત યું હતું. ધોરાજીમાં જ રહેતા પિતા- પુત્ર સહિત આ ત્રણે મુસાફરો ભાયાવદરમાં ગુજરી બજારમાં કપડાં વેચીને પરત આવી રહ્યા હતા. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આ અંગે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ધોરાજીમાં માતાવાડી કોયાણી ચોક પાસે ચબૂતરા નજીક થાર કાર નંબર જીજે ૦૪ ઇએ ૦૦૪૭ ના ચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં રીક્ષાચાલક રહીશ અમીનભાઇ પટેલ તા રિક્ષામાં સવાર મુસાફર કનૈયાલાલ સાધુભાઈ પમન્નાણી તેનો પુત્ર જય કિશન અને ધોરાજીમાં જ રહેતા જુબેર ઇલ્યાસભાઈ લુલાણીયા ચારેયને ઇજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા જુબેરભાઈ લૂલાણીયાનું મોત યું હતું. અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રીક્ષામાં સવાર કનૈયાલાલ પમન્નાણી તેનો પુત્ર જય કિશન અને ધોરાજીમાં રહેતા જુબેરભાઈ લુલણીયા ત્રણે ધોરાજીમાં રહેતા અમીનભાઇ પટેલની અતુલ શક્તિ રીક્ષામાં ભાયાવદર ખાતે ગુજરીમાં કપડાં વેચવા માટે ગયા હતા. બાદમાં બપોરના સમયે કપડા વેચીને પરત આવતા હતા ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી.
અકસ્માતના આ બનાવ અંગે કનૈયાલાલ પામન્નાણી(ઉ.વ ૬૦) ની ફરિયાદ પરી ધોરાજી સિટી પોલીસે અકસ્માત સર્જી્ નાસી ગયેલા કાર નંબર જીજે ૪ ઇએ ૦૦૪૭ ના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હા ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application