કેન્દ્ર સરકાર વન નેશન વન ઇલેકશન યોજનાને લાગુ કરવા માટે સંસદ શિયાળુ સત્રમાં બિલને રજૂ કરી શકે છે. આ બિલને વિસ્તૃત ચર્ચા માટે સંસદની સંયુકત સમિતિ (જેપીસી)ને પણ મોકલી શકાય છે. કેન્દ્ર સરકાર તેની વન નેશન વન ઇલેકશન યોજનાને લાગુ કરવા માટે પ્રસ્તાવિત બિલ પર વ્યાપક ચર્ચા કરવાની તરફેણમાં છે. જો કે બિલને હજુ સુધી કેબિનેટની મંજૂરી મળી નથી, પરંતુ સરકાર તેને સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરી શકે છે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ બિલને વિસ્તૃત ચર્ચા માટે સંસદની સંયુકત સમિતિ (જેપીસી)ને પણ મોકલી શકાય છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવાના પક્ષમાં છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. તેમજ તમામ રાયોની વિધાનસભાના સ્પીકરોને પણ બોલાવવામાં આવી શકે છે.
આ સાથે દેશના બુદ્ધિજીવીઓની સાથે જ સિવિલ સોસાયટીનો પણ અભિપ્રાય પણ લેવામાં આવશે. વન નેશન–વન ઇલેકશન પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ગયા વર્ષે ૨ સપ્ટેમ્બરે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ આ વર્ષે ૧૪ માર્ચે રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપ્યો હતો. સમિતિએ ૧૮,૬૨૬ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યેા છે. વિપક્ષી દળો સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અર્જુન રામ મેઘવાલ અને કિરેન રિજિજુને નિયુકત કરવામાં આવ્યા હતા. સમિતિએ ૬૨ રાજકીય પક્ષોનો સંપર્ક કર્યેા હતો, જેમાંથી ૩૨એ વન નેશન–વન ઇલેકશનને સમર્થન આપ્યું, યારે ૧૫ પક્ષોએ તેનો વિરોધ વ્યકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech