સડોદરના વૃઘ્ધનું હેમરેજના કારણે સારવારમાં મૃત્યુ

  • April 26, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના સડોદર ગામના પટેલ વૃઘ્ધને માથામાં દુ:ખાવો થતા જામનગર દાખલ કરવામાં આવ્યા હતા, જયાં હેમરેજ થયાનું બહાર આવ્યુ હતું અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું.
જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા પોપટભાઇ જગાભાઇ ગધેથરીયા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધને માથાના ભાગે દુ:ખાવો થતો હોય આથી જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં પોપટભાઇને માથાના ભાગે હેમરેજ થયાનું ડોકટરે જણાવ્યુ હતું. સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે સડોદરના અને હાલ સુરત રહેતા લલીત પોટભાઇ દ્વારા શેઠવડાળા પોલીસમાં જાણ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application