કેબિનેટમંત્રી મુળુભાઇ બેરાના જન્મદિવસ નિમિતે સલાયા શહેર ભા.જ.પ. દ્વારા હરસિદ્ધિ માતાજીના મંદિરે ધ્વજારોહણ

  • March 24, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયાના અતી પ્રાચીન એવા હરસિદ્ધિ માતાજીના મંદિરે ગત તા. 23 માર્ચના રોજ કેબિનેટ મિનિસ્ટર મુળુભાઇ બેરાના જન્મ દિવસ નીમીતે ધ્વજારોહણનું આયોજન સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા કરાયું હતું. જેમાં સલાયાના વિદ્વાન શાસ્ત્રી શ્યામભાઈ દવે તેમજ રાજુભાઈ રિસ્કા દ્વારા ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. હરસિદ્ધિ મંદિરના મહંત અશોકપુરી ગૌસ્વામી પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમમાં સલાયા ભાજપના પ્રભારી પરેશભાઈ કાનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ તન્ના, અરવિંદભાઈ ભટ્ટ, વિશાલ સાતા, શહેર ભાજપ ઉપપ્રમુખ સુમિત લાલ, યુવા ભાજપ પ્રમુખ વિશાલ લાલ, ભાજપના તમામ મોરચા અને સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો, વેપારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો તથા વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


આ તકે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા તેમજ પધારેલ સૌ ગ્રામજનો દ્વારા મુળુભાઇ બેરાના તંદુરસ્ત અને નિરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application