શ્રાવણ માસ મંગળવાર નિમિતે કષ્ટભંજનદેવ દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને ૯ ગ્રહનો શણગાર

  • August 20, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ  કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે  શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની  પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.૨૦-૦૮-૨૦૨૪ને  મંગળવારના રોજ  કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરી સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી  શાસ્ત્રી સ્વામી  હરિપ્રકાશદાસ અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.  
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું  હતું કે, આજે શ્રાવણ માસના પવિત્ર મંગળવારના દિવસે દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને ૯ ગ્રહનો શણગાર છે. વાઘા રાજકોટના ભક્તે ૩ દિવસની મહેનતે બનાવ્યા છે. ૯ ગ્રહનો શણગાર તૈયાર કરતાં ૪ દિવસનો સમય લાગ્યો છે.
શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ   હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application