સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.૨૦-૦૮-૨૦૨૪ને મંગળવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરી સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રાવણ માસના પવિત્ર મંગળવારના દિવસે દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને ૯ ગ્રહનો શણગાર છે. વાઘા રાજકોટના ભક્તે ૩ દિવસની મહેનતે બનાવ્યા છે. ૯ ગ્રહનો શણગાર તૈયાર કરતાં ૪ દિવસનો સમય લાગ્યો છે.
શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીલ્લા પંચાયતમાં સરપંચ અને તલાટીમંત્રી માટે સિવિલ ડીફેન્સ તાલીમ યોજાઈ
May 15, 2025 11:52 AMપાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ સ્થળેથી કોઈ રેડિયેશન લીક થયું નથી: આઈએઈએ
May 15, 2025 11:51 AMજીલ્લાના ખેડૂતો બાગાયતી પાકો તથા મધમાખી ઉછેરને લગતા વિવિધ ઘટકો માટે સહાય
May 15, 2025 11:48 AMઅજય દેવગનનો પુત્ર યુગ કરાટે કિડ લેજેન્ડ્સમાં પોતાનો અવાજ આપશે
May 15, 2025 11:40 AM'જાટ' ઓટીટી પર રિલીઝ કરવા નિર્ણય
May 15, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech