પોરબંદરમાં રાંદલ સ્વસહાય જુથના બહેનોને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્ટોલની વવ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
પોરબંદર શહેરમાં સખી મંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે નગરપાલિકા દ્વારા તેઓને પુરતી મદદ કરવામાં આવે છે. પોરબંદર નગરપાલિકા દ્વારા ૧૦પ જેટલા સખી મંડળોના બહેનોને લોન આપી તેઓ પગભર બને તેવા પ્રયાસો કરાયા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલા ઉત્કર્ષની અનેક યોજનાઓ અમલમાં છે,ત્યારે પોરબંદરમાં સખી મંડળના બહેનોને નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી અને નગરપાલિકા તંત્ર દ્વારા પુરતી મદદ કરવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર પર નગરપાલિકા દ્વારા રાંદલ સ્વસહાય જુથના બહેનોને મિઠાઈના સ્ટોલની વ્યવસ્થા નગરપાલિકાએ કરી આપી હતી. જેનું ઉદઘાટન નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ કર્યું હતુ.ત્રણ દિવસ સુધી મિઠાઈનો સ્ટોલ લગાવી બહેનોએ રોજગારી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech