મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયામાં કરાયા ધાર્મિક-સામાજિક સેવાકાર્યો

  • July 16, 2024 11:13 AM 

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ગઈકાલે સોમવારે જન્મ દિવસ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા ફ્રૂટ વિતરણ, મહા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તારીખ 15 જુલાઈના રોજ ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ દ્વારા શ્રી રામ મંદિર ખાતે સોમવારે સાંજે મહા આરતી કરી અને તેમના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા બક્ષીપંચ મોરચાના કાર્યકરો દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.


આ સેવા કાર્યોમાં છેલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, અશોકભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી, રાણાભાઈ ગઢવી જયસુખભાઈ મોદી, મેઘાબેન વ્યાસ સાથે શહેર યુવા મોરચાના દેવ શાહ, શક્તિ ગઢવી, રાજ પાબારી, દિવ્ય જોશી મીત સવજાણી, તપન શુક્લા ઉપરાંત બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ મિલનભાઈ વારીયા વિગેરે કાર્યકરો આ સેવા કાર્યોમાં સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application