પોરબંદરમાં શ્રાવણી પૂનમના દિવસે અગ્રણીઓએ દરિયાદેવનું પૂજન કરીને નવુ વર્ષ રિધ્ધિ-સિધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણીપૂનમના દિવસે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સાગરપુત્રો દરિયાદેવનું પૂજન કરે છે તે અંતર્ગત પોરબંદરમાં પણ ખારવાસમાજના આગેવાનો રણછોડભાઇ શિયાળ અને મયુરભાઇ શિયાળ તેમજ રઘુવંશી અગ્રણી મનુભાઇ મોદીએ દરિયાદેવની પૂજા તથા નાળિયેરપૂજન કર્યુ હતું. આ પૂજા બાદ સાગરપુત્રો તેમના માછીમારીના ધંધાની શઆત કરે છે ત્યારે રક્ષાબંધનના દિવસે સમુદ્રદેવનું વિધિવત પૂજન કરીને દૂધમાં મધ, સાકર, અબીલ-ગુલાલ અને પુષ્પથી દરિયાદેવની પૂજા કરી હતી અને ભૂદેવોએ મંત્રોચ્ચાર કરાવ્યો હતો. સમુદ્રદેવ માછીમારો વહાણવટા અને શીપમાં જતા સાગરપુત્રોનું ધ્યાન રાખે અને તેમના વેપારધંધામાં બરકત આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અસ્માવતીઘાટ નજીક દર વર્ષે પરંપરાગત પૂજનનું આયોજન થાય છે અને નાળીયેરીપૂનમે દરિયો ખેડનારા માછીમારો માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. માછીમારો દરિયાદેવની પૂજા પછી પોતાનો વ્યવસાય શ કરે છે ત્યારે આ દિવસની સૌને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech