હનુમાનજીના શિલ્પચિત્ર વિવાદ મુદ્દે સાંસદ મોકરિયા બોલ્યા, "આ વ્યાજબી નથી, ચિત્ર હટાવી દેવા જોઈએ"

  • September 02, 2023 01:34 PM 

સાળંગપુર દાદાનું અપમાન કરાયું હોવાનો વિવાદ સર્જાયો છે. બોટાદના સાળંગપુરમાં આવેલા કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે ભિંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. આમ હનુમાનજી દાદાનું અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંત ચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નીચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.

આજે આ મામલે સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપ્યું છે, હું પોતે બ્રાહ્મણ છું, મારૂતિ ભગવાનમાં માનું છું. મારું માનવું છે કે, સનાતન ધર્મમાં વિવાદ થાય એ યોગ્ય નથી. ચિત્ર હટાવી દેવા જોઈએ. 

રાજકોટમાં બ્રહ્મ સમાજ આગામી 5 તારીખ સુધીમાં પોસ્ટર હટાવવામાં નહીં આવે તો સાળંગપુર ખાતે પહોંચીને ઉગ્ર વિરોધ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application