વારાણસીની વિશ્વ પ્રસિદ્ધ દેવ દિવાળી ૧૫ નવેમ્બરે ઉજવવામાં આવશે, આ વખતની દેવ દિવાળી ખાસ હશે અને વારાણસીના તમામ ૮૪ ઘાટ દીવાથી ઝગમગશે
આ દેવ દિવાળી પર ધર્મ અને આધ્યાત્મિકતાની સાથે દેશભકિતની ઝલક પણ જોવા મળશે આ અંગેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોચી ચુકી છે.આ વખતે મોસન સાનુકુળ હોવાથી દેશભરમાંથી ૮ લાખથી વધુ ભકતો અહી ઉમટે તેવી શકયતાને ધ્યાને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. એવી માન્યતા છે કે યારે દેવતાઓ ત્રિપુરાસુરના જુલમમાંથી મુકત થયા હતા, ત્યારે તેઓ ભગવાન શિવની નગરી કાશીમાં આવ્યા હતા અને પ્રકાશનો તહેવાર ઉજવ્યો હતો અને ત્યારથી કાશીમાં દેવ દીપાવલી ઉજવવામાં આવે છે. આ વખતે કાશીની દેવ દિવાળી ૧૫ નવેમ્બરે મનાવવામાં આવશે. દશાસ્વમેધ ઘાટની વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીના આયોજક સુશાંત મિશ્રાએ વાતચીતમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે.સુશાંત મિશ્રાએ જણાવ્યું હતું કે લાઇટના આ ભવ્ય ઉત્સવને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવશે. કારગીલ વિજય દિવસના ૨૫ વર્ષ પૂરા થવાના અવસર પર આ વખતે દેવ દિવાળીને શૌર્યની રજત જયંતિ તરીકે ઉજવવામાં આવશે. આ ઉપરાંત સુરક્ષાના ધ્ષ્ટ્રિકોણથી નિર્ધારિત ઘાટ પર સીસીટીવી કેમેરાની સંખ્યા વધારીને ૨૦ કરવામાં આવી છે અને આ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
હોટેલ અને બોટનું બમ્પર બુકિંગ થયું
દેવ દિવાળીના અવસર પર કાશીમાં હોટલ અને બોટનું બમ્પર બુકિંગ મહિનાઓ અગાઉથી થઈ રહ્યું છે. કાશીની દેવ દિવાળી નિહાળવા આસપાસના જિલ્લાઓ તેમજ અન્ય રાયોમાંથી મોટી સંખ્યામાં લોકો કાશીના ઘાટ પર પહોંચે છે અને હોડીમાં બેસીને આવે છે. દેવ દિવાળીના અવસર પર લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ કાશી પહોંચે છે. આ વખતે પણ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે દેવ દિવાળીના અવસર પર કાશીમાં પ્રવાસીઓની સંખ્યા ૮ લાખને વટાવી શકે છે.
કારગીલ વિજય દિવસની રજત જયંતીને સમર્પિત હશે ઉજવણી
સુશાંત મિશ્રાએ દેવ દિવાળી ઈવેન્ટ વિશે જણાવ્યું કે ૧૫ નવેમ્બરે ૨૧ બ્રાહ્મણો વૈદિક વિધિ મુજબ દેવી ભગવતીની પૂજા કરશે. આ પછી, મા ભગવતીની ભવ્ય મહા આરતી રામજનમ યોગી દ્રારા શખં નાદ, દુર્ગા ચરણ અને ૪૨ છોકરીઓ જે રિદ્ધિ સિદ્ધિના પમાં બ્રાહ્મણો સાથે હશે અથવા વિશ્વનાથજીના ડમ દળના ૧૦ સ્વયંસેવકો દ્રારા શ થશે. આ વર્ષે કારગીલ વિજય દિવસના ૨૫ વર્ષ પૂરા થવાના અવસરે ૧૫મી નવેમ્બરે દેવ દિવાળીનો પ્રસગં પણ બહાદુરીની રજત જયંતિ તરીકે ઉજવવામાં આવશે. આ દરમિયાન વારાણસીના તમામ ૮૪ ઘાટોને દીવાઓથી શણગારવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુનેગારોને ડામવા ગૃહ રાજ્યમંત્રીનો આદેશ: અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ
March 17, 2025 10:44 PMઔરંગઝેબની કબરનો વિવાદ વકર્યો: નાગપુરમાં હિંસા, પથ્થરમારો, DCP સહિત અનેક ઘાયલ
March 17, 2025 10:16 PMહીરાસર એરપોર્ટ પર પાણીની બૂમરાણ, મુસાફરો પીવાના પાણી માટે મારે છે વલખાં
March 17, 2025 08:03 PMઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech