મિશ્ર ઋતુમાં ઠંડી-ગરમીની સિઝનથી રોગચાળો વઘ્યો
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમે-ધીમે ઠંડીનું આગમન થયું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તા.૨૫ અને ૨૬ બે દિવસ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠુ થશે તેવી આગાહી કરવામાં આવતા ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે અને જો માવઠુ થાય તો રવિ પાકને પણ નુકશાન થવાની શકયતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તા.૨૫ અને ૨૬ના રોજ હળવાથી મઘ્યમ છાટા પડવાની શકયતા છે, હાલમાં લઘુતમ તાપમાન ૨૧ થી ૨૨ વચ્ચે રહ્યા કરે છે ત્યારે ઠંડીની શરુઆત વચ્ચે માવઠાની આગાહીથી ખેડુતો ચિંતામાં મુકાઇ ગયા છે અને જો માવઠુ થાય તો જુવાર, શેરડી, ઘઉં, લસણ, ઇસબગુલ, ડુંગળી અને બટાટા જેવા પાકને સીધુ નુકશાન થવાની પણ શકયતા છે.
આજ સવારથી તાપમાનનો ઘટાડો જોવા મળ્યો છે અને ઠંડક હોવાના કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો છે, ગામડાઓમાં પણ ગઇકાલે સાંજે અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૨.૮ ડીગ્રી, મહત્તમ તાપમાન ૩૦.૬ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૬૭ ટકા અને પવનની ગતિ ૫ થી ૧૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજ સવારથી જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા હતાં. હવામાં ભેજ વધતા બપોરના ૧૧ થી ૫ દરમ્યાન ગરમીનો માહોલ જોવા મળ્યો છે.
મિશ્ર ઋતુને કારણે જી.જી.હોસ્પિટલમાં ૧૫૦થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં ૨૫૦થી વધુ તાવના કેસ નોંધાઇ ગયા છે, બે દિવસમાં ૪૦૦ દર્દીઓમાં વાયરલ ઇન્ફેકશન, ગળામાં દુ:ખવું, તાવ, શરદી, ઉધરસના કેસો જોવા મળ્યા છે ત્યારે હજુ પણ બપોરે અસહ્ય ગરમી પડે છે, શિયાળાની અસર હજુ જોઇએ એટલી થઇ નથી. જી.જી.હોસ્૫િટલમાં દરરોજના ૪૦ જેટલા દર્દીઓને દાખલ કરવા પડે છે, એટલે કે જામનગરમાં દર્દીઓ દિવસેને દિવસે વધતા જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech