જમ્મુ–કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લાએ લીધા શપથ

  • October 16, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૦ વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સુરેન્દ્ર ચૌધરી જમ્મુ–કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા. આ સિવાય વધુ ચાર મંત્રીઓ જાવેદ ડાર, સકીના ઇટ્ટત્પ, જાવેદ રાણા અને સતીશ શર્મા પણ કેબિનેટમાં સામેલ થયા છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪મા સુરેન્દ્ર ચૌધરીએ નૌશેરા બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને હરાવ્યા હતા. નૌશેરાના ધારાસભ્યને કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
જમ્મુ–કાશ્મીર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને ૪૨ સીટો પર મોટી જીત મળી છે. યારે સાથી કોંગ્રેસને ૬ બેઠકો મળી હતી. એનસી–કોંગ્રેસ ગઠબંધનને ૪૮ બેઠકો મળી અને ઓમર અબ્દુલ્લા સરકાર બનાવવામાં સફળ રહ્યા. જોકે કોંગ્રેસે કેબિનેટમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો.
કોંગ્રેસના નેતાઓ ઓમર કેબિનેટમાં સામેલ ન થવા પાછળ બે કારણો આપવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા કોંગ્રેસ ઓમર સરકારમાં બે મંત્રી પદ ઇચ્છતી હતી પરંતુ માત્ર એક જ પદ આપવામાં આવી રહ્યું હતું. દબાણ ઊભું કરવા કોંગ્રેસે બહારથી ટેકો આપવાનું નક્કી કયુ. બીજું, કોંગ્રેસ નેતૃત્વ એવું નથી ઈચ્છતું કે જમ્મુ–કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન અને માત્ર ૬ બેઠકો જીત્યા બાદ રાય એકમના મોટા નેતાઓને મંત્રીપદની ભેટ મળે. એક રીતે આને કોંગ્રેસનું રાજકીય પ્રાયશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જો કે રાજકીય એકતાનો સંદેશ આપવા માટે રાહત્પલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application