પ્રૌઢનો ભાણેજના કારખાનામાં ઝેરી દવા પી જઇ આપઘાત

  • April 16, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ સુરતના વતની અને હાલ ગોંડલના ગોમટા ગામે રહેતા પ્રૌઢે રીબડા ખાતે આવેલા ભાણેજના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.આધેડે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે આધેડના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણાવા મળતી વિગતો મુજબ, મૂળ સુરતના વતની અને હાલ ગોંડલના ગોમટા ગાહે રહેતા શૈલેષભાઈ ગિરધરલાલ ગોજારીયા(ઉ.વ 58) પ્રૌઢે રીબડા ખાતે આવેલા ભાણેજના શ્રીનાથજી એન્જિનિયર નામના કારખાનામાં હતા ત્યારે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી.જેથી તેમને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કયર્િ હતાં.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક શૈલેષભાઈ ગોજારીયા મૂળ સુરતના વતની છે. અને છેલ્લા એકાદ મહિનાથી ગોંડલના ગોમટા ગામે આવ્યા હતા અને રીબડા ખાતે આવેલા ભાણેજના કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી.પ્રૌઢે કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ હોય પોલીસે આધેડના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application