શહેરમાં આપઘાત અને હાર્ટએટેકથી મુત્યુના બનાવ હવે રોજ–બેરોજ બની રહ્યા છે. ગાંધીગ્રામમાં રહેતા પ્રૌઢાએ સાંજે સવારે ઘરે હતા ત્યારે એસિડ પી લેતા સારવારમાં ખસેડા હતા પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ મોત નિપજતા પરિવારમાં શોક છવાયો હતો.બનાવની મળતી વિગત મુજબ ગાંધીગ્રામ લાખના બંગલા પાસે મહાવીરનગર મેઈન રોડ ઉપર રહેતા મંજુલાબેન મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૫૪)નામના પ્રોઢા સવારે ઘરે એકલા હતા ત્યારે એસિડ પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇમરજન્સી વિભાગના તબીબો સારવાર શ કરે પહેલા હ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ. રામશીભાઈ વ અને પો.કોન્સ.જયદીપભાઈ હત્પદડે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.મૃતકના પતિ હયાત નથી અને સંતાનમાં બે દીકરા છે જે દરજી કામ કરે છે. પ્રૌઢાને ડાયાબિટીસની બીમારી હતી જેનાથી કંટાળી પગલું ભરી લીધાનું લાગી રહ્યું છે. કારણ જાણવા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech