રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩ના રેલનગર વિસ્તાર અને તેને લાગુ રામ પાર્ક, મધુવન પાર્ક, સંતોષી નગર, શ્રી રેસિડેન્સી સહિતની સોસાયટીઓના રસ્તાઓમાં અસંખ્ય ખાડા પડયા હોય અને વરસાદ બાદ તેમાં પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા હોય સમગ્ર વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાય છવાઇ ગયું છે, અહીં રસ્તાઓનું તાકિદે રિપેરિંગ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.
વિશેષમાં લતાવાસીઓએ મહાપાલિકામાં કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, રામ પાર્ક સોસાયટીમાં અંદાજિત ૧૦૦ જેટલા મકાન આવેલ છે અને બાજુમાં આવેલ શ્રી રેસીડેન્સી જેમાં અંદાજિત ૧૫૦ જેટલા મકાન આવેલ છે અહીં રહેતા લોકોને મેઇન રોડ સુધી જવા માટે એક જ રસ્તો છે જે પણ કાચો રસ્તો છે. હાલ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે રેલનગર મેઇન રોડ ઉપર આવેલા રામ પાર્કના ગેઇટ થી લઇને રામપાર્ક શેરી નં.૧, ૨,૩ અને સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તામાં વ્યાપક પ્રમાણમાં કાદવ–કીચડ તથા ખાડા છે અને પાણી ભરાયેલ છે. અહીં મેટલ(પથ્થર) નાખેલ હોવાથી રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. જેના કારણે સોસાયટીમાં વસતા લોકોને મેઇન રોડ સુધી આવવા–જવામાં ખુબ તકલીફ પડે છે. બાળકોને શાળાએ જવામાં તથા મહિલાઓ અને વડીલો ને વાહન લઇને નીકળવામાં ભય સર્જાય છે કેમ કે કીચડ વધારે હોવાના કારણે વાહનો સ્લીપ થાય છે. મહાપાલિકા તત્રં તાકિદે રેલનગર વિસ્તારના ઉપરોકત વિસ્તારોની રસ્તાની સમસ્યા ઉકેલે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech