હવે સુપ્રીમ કોર્ટમાં કાવડ યાત્રા રૂટ પર નેમપ્લેટના સમર્થનમાં અરજી દાખલ

  • July 25, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દુકાનદારોએ કાવડ યાત્રાના રૂટ પર નેમપ્લેટ લગાવવાની જરૂર નથી. પરંતુ આ મામલો હજુ પૂરો થયો નથી. હવે નેમપ્લેટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકતર્નિું કહેવું છે કે આ મામલાને બળજબરીથી સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે પોતાને પણ આ મુદ્દે પક્ષકાર બનાવવાની માંગ કરી છે. મુઝફ્ફરપુર પોલીસની સૂચનાનું સમર્થન કરતાં અરજદાર સુરજીત સિંહ યાદવ કહે છે કે નેમપ્લેટ લગાવવાની સૂચના શિવભક્તોની સુવિધા, તેમની આસ્થા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આપવામાં આવી હતી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કોઈપણ કારણ વગર તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અરજદારનું કહેવું છે કે જે લોકોએ આ મુદ્દે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે તે દુકાનદારો નથી, પરંતુ જેઓ તેને રાજકીય રંગ આપવા માંગે છે. શિવભક્તોના મૂળભૂત અધિકારોને ટાંકીને અરજદારે માંગ કરી છે કે તેમને આ મુદ્દામાં પક્ષકાર બનાવવામાં આવે અને તેમનો પક્ષ સાંભળવામાં આવે. આ મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઉપરોક્ત સૂચનાઓના અમલીકરણ પર રોક લગાવવા માટે વચગાળાનો આદેશ પસાર કરવો યોગ્ય છે. ઢાબા માલિકો, ફળ વિક્રેતાઓ, હોકર્સ સહિતના ખાદ્ય વિક્રેતાઓએ ખોરાક અથવા સામગ્રીનો પ્રકાર દશર્વિવાની જરૂર પડી શકે છે, પરંતુ માલિકોની ઓળખ જાહેર કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. હાલમાં સુપ્રીમ કોર્ટે યુપી અને ઉત્તરાખંડની સરકારોને પણ નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે જો અરજદારો અન્ય રાજ્યોનો ઉમેરો કરશે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રા રૂટ પર સ્થિત તમામ ખાણીપીણીને તેમના માલિકોની નેમપ્લેટ લગાવવાની સૂચના આપી હતી. ત્યારબાદ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકારે સમગ્ર રાજ્યમાં આ આદેશ લાગુ કર્યો હતો. ઉત્તરાખંડ સરકારે પણ આ અંગે આદેશ જારી કર્યો હતો.
યોગી સરકારના આ પગલાની માત્ર વિપક્ષ દ્વારા જ નહીં પરંતુ એનડીએના સહયોગી જેડીયુ અને આરએલડી સહિત અન્ય પક્ષોએ પણ ટીકા કરી હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે આ આદેશ સાંપ્રદાયિક અને વિભાજનકારી છે અને તેનો હેતુ મુસ્લિમો અને અનુસૂચિત જાતિને તેમની ઓળખ જાહેર કરવા દબાણ કરીને તેમને નિશાન બનાવવાનો છે. જો કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સત્તામાં રહેલી ભાજપે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ અને શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં
આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application