સરકારે વયસ્ક નાગરિકોને ઘરેથી પોસ્ટલ બેલેટ દ્રારા મતદાન કરવાની સુવિધા આપવા માટેના ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યેા છે અત્યાર સુધી દેશમાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકો આ સુવિધા માટે પાત્ર હતા. પરંતુ હવે ચૂંટણી પંચની ભલામણ બાદ સરકારે તેમાં ફેરફાર કર્યેા છે. આ અંગે નોટિફિકેશન બહાર પાડતા કાયદા મંત્રાલયે કહ્યું કે ચૂંટણી આચાર નિયમો ૧૯૬૧માં સુધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત ફકત ૮૫ વર્ષની વય વટાવી ચૂકેલા વૃદ્ધ મતદારો જ આ સુવિધા મેળવી શકશે. એપ્રિલ–મે ૨૦૨૪માં યોજાનારી ૪ રાયોની લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલા આ ફેરફાર કરવામાં આવ્યો છે.
૯ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે દેશમાં કુલ મતદારોની સંખ્યા પણ જાહેર કરી હતી. આ અંગે, ૨૮ રાયો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના મતદાતાઓ સાથે સંબંધિત સ્પેશિયલ સમરી રિવિઝન ૨૦૨૪ રિપોર્ટમાં ચૂંટણી પંચનું કહેવું છે કે હવે આગામી લોકસભા ચૂંટણીમાં ૯૭ કરોડ લોકો મતદાન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે દેશમાં ૧.૮૫ કરોડ મતદારોની ઉંમર ૮૦ વર્ષથી વધુ હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, દેશમાં હજુ પણ ૧૦૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૨.૩૮ લાખ મતદારો છે.
જારી કરાયેલી સૂચના સાથે, ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને આદર્શ આચારસંહિતા અંગે ચેતવણી પણ આપી છે. આ સંદર્ભમાં, ચૂંટણી પંચનું કહેવું છે કે ૨૦૨૪માં આવનારી સામાન્ય ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ જાહેર પ્રચારમાં સનતા જાળવી રાખવી જોઈએ. આ સાથે પંચનું કહેવું છે કે જો કોઈ પાર્ટી કે કાર્યકર્તા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech