સરકારે હેલ્થ અને એનર્જી ડ્રીંકના નામે ઈ–કોમર્સ કંપનીઓ દ્રારા વેચવામાં આવતા યુસ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ઈ–કોમર્સ વેબસાઈટને કડક સૂચના આપી છે કે તેઓ હેલ્થ અને એનર્જી ડિં્રકસના નામે તમામ પ્રકારના યુસનું વેચાણ ન કરે. ફડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ તમામ ઈ–કોમર્સ કંપનીઓને તેમની વેબસાઈટ પર વેચાતા ખાધ ઉત્પાદનોને યોગ્ય રીતે સેગમેન્ટ કરવા જણાવ્યું હતું. એફએસએસએઆઈએ કહ્યું છે કે પ્રોડકટ યોગ્ય સેગમેન્ટમાં ન હોવાને કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે.
નીલ્સન આઈકયુના ડેટા અનુસાર, પેપ્સીકો, કોકા–કોલા અને હેલ જેવી કંપનીઓ રેડ બુલ અને મોન્સ્ટરના એક કવાર્ટરના દરે તેમના એનર્જી ડિં્રકનું વેચાણ કરી રહી છે. આ પીણાં કરિયાણાની દુકાનો પર સરળતાથી ઉપલબ્ધ છે. એનર્જી ડિં્રકસનું વેચાણ વાર્ષિક આશરે ૫૦ ટકાના દરે વધી રહ્યું છે. યુવાનોમાં તેનો વધતો વપરાશ ચિંતાજનક છે. ઘણા સંશોધનોએ આરોગ્ય પર તેની ગંભીર અસરો જાહેર કરી છે. તેથી એફએસએસએઆઈ પણ આ બાબતે ગંભીર બની છે.
એફએસએસએઆઈ અનુસાર, માલિકીના ફડ લાયસન્સ હેઠળ આવતા ડેરી આધારિત, અનાજ આધારિત અને માલ્ટ આધારિત પીણાં હેલ્થ ડિં્રક અથવા એનર્જી ડિં્રકના નામે ઈ–કોમર્સ વેબસાઇટસ પર વેચવામાં આવશે નહીં. આ માટે કંપનીઓએ અલગ કેટેગરી બનાવવી પડશે. એફએસએસએઆઈ એ સ્પષ્ટ્ર કયુ છે કે એફએસએસ એકટ ૨૦૦૬ હેઠળ કયાંય પણ હેલ્થ ડિં્રકની વ્યાખ્યા કરવામાં આવી નથી. એનર્જી ડિં્રકસનો ઉપયોગ ફકત કાર્બેાનેટેડ અને કાર્બેારેટેડ પાણી આધારિત પીણાં માટે જ થઈ શકે છે. માલિકીનો ખોરાક એ ખોરાક છે જે ખાધ સુરક્ષા અને માનક નિયમોના દાયરામાં નથી. આ ક્રિયાની મદદથી, ગ્રાહકોને ઉત્પાદનો વિશે સાચી માહિતી આપી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech