નામ લીધા વગર કુમાર વિશ્વાસે શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે તમારા બાળકોને રામાયણ અને ગીતા શીખવો. એવું ન થવું જોઈએ કે ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરમાંથી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય!
પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે યુપીના મેરઠમાં એક કવિતા ઉત્સવ દરમિયાન પીઢ અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહા વિરુદ્ધ ટિપ્પણી કરી છે. તેમણે નામ લીધા વિના કહ્યું, ‘તમારા બાળકોને રામાયણ શીખવો. નહીં તો એવું બને કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય, પરંતુ તમારા ઘરમાંથી ‘લક્ષ્મી’ કોઈ અન્ય છીનવી લે.
શત્રુઘ્ન સિન્હાના ઘરનું નામ ‘રામાયણ’ છે. તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ આ વર્ષે બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. નેટીઝન્સે કહ્યું કે, કુમાર વિશ્વાસે સિંહા પરિવારના ઈન્ટર રિલિઝન મેરેજ પર કટાક્ષ કર્યો છે.
કાર્યક્રમ દરમિયાન કુમાર વિશ્વાસે કહ્યું, ‘તમારા બાળકોને સીતાજીની બહેનો અને ભગવાન રામના ભાઈઓના નામ યાદ કરાવો. એક સંકેત આપી રહ્યો છું. જેઓ સમજે છે તેમણે તાળીઓ પાડવી જોઈએ. તમારા બાળકોને ‘રામાયણ’ વંચાવો અને તેમને ગીતા સંભળાવો. નહીં તો એવું પણ બને કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય અને તમારા ઘરની શ્રી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય.
આ પહેલીવાર નથી જ્યારે સોનાક્ષી સિન્હાને રામાયણ સાથેના તેના જોડાણને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો હોય. વર્ષ 2019માં ‘KBC’ સિરિયલમાં સોનાક્ષીએ ‘રામાયણ’ સાથે જોડાયેલા એક સવાલનો ખોટો જવાબ આપ્યો હતા. જેના પર મુકેશ ખન્નાએ પણ તેની ટીકા કરી હતી. તેણે થોડાં દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
આ પછી સોનાક્ષીએ પણ પલટવાર કર્યો. તેણે કહ્યું, ‘મારા અને મારા પરિવાર પર સમાચાર બનાવવા માટે આ એક પણ ઘટના લાવવાનું બંધ કરો.’
શત્રુઘ્ન સિંહા પણ તેમની પુત્રીના બચાવમાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે, આ વ્યક્તિને રામાયણના નિષ્ણાત બનવાનો શું અધિકાર છે? રામાયણ પરના પ્રશ્નનો જવાબ ન આપવાથી તે એક સારા હિંદુ બનવા માટે અયોગ્ય નથી. તેને કોઈની મંજૂરીની જરૂર નથી.
આ પછી મુકેશ ખન્નાએ પોતાના બચાવમાં કહ્યું કે, તેમનો ઈરાદો ખરાબ નહોતો. તેના બદલે તેઓ ઇચ્છતા હતા કે આજની પેઢી ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે શિક્ષિત થાય. તેણે કહ્યું હતું કે, ‘કોઈ ખરાબ ઈરાદો નહોતો. પરંતુ હું જાણતો હતો કે મારી કોમેન્ટ તેને નારાજ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech