ધમાલીયા મહંતને આશ્રમ તોડી પાડવા નોટિસ

  • September 05, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે સેન્ટ્રલ જીએસટીના અધિકારીની કારના કાચ તોડીને સરાજાહેર ધમાલ મચાવનાર ધમાલીયા મહતં જીજ્ઞેશ નવિનચદ્રં ધામેલીયાના કરતુતો ખુલ્લ ી રહ્યા છે. વાગુદડમાં ઉભો કરેલો આશ્રમ જ ગેરકાયદે એટલે કે સરકારી જમીન પર હોવાનું બહાર આવતા આ દબાણ એક સાહમાં દુર કરી નાખવા માટે લોધીકા મામલતદાર તરફથી નોટીસ આપવામાં આવી છે. જો સાહમાં દબાણ દુર નહીં થાય તો તત્રં દબાણ હટાવવા જરૂરી કામગીરી હાથ ધરશે.
બે દિવસ પહેલા રાત્રીના મહતં અને ત્રણ સેવક કે સાગરીત કારમાં રોંગ સાઈડ મહિલા કોલેજ અંડરબ્રિજમાં પસાર થયા હતા અને સામે આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીમાં કોન્ટ્રાકટ પર ચાલતી ઈનોવા કારના કાચ ફોડી નાખ્યા હતા. ત્યાંથી નહીં અટકી કાલાવડ રોડ પર સુઈ જઈ સરાજાહેર ધમાલ કરી હતી. જો કે, આ બધું મહંતને ભારે પડી રહ્યું છે. પોલીસે એ સમયે જ મહતં અને તેના બે સાગરીતને પકડીને પુરી દીધા હતા. વાગુદડ સ્થિત આશ્રમ ખાતેની જમીન સરકારની હોવાનું જાણવા મળતા કલેકટર દ્રારા કરાયેલા આદેશના પગલે લોધીકા મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી અને આશ્રમની એકાદ એકર જમીન સરકારી હોવાનું બહાર આવ્યું હતું.
સરકારી જમીન પર દબાણ કરવા સંદર્ભે આ દબાણ દુર કરવા માટે એક સાહની મહેતલ સાથેની નોટીસ અપાઈ હોવાનું કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું. બીજી તરફ આશ્રમ ખાતેની આ જમીન પરથી ગાંજાનું વાવેતર પણ મળી આવ્યું હતું. રાજકોટ રૂરલ એસોજીએ ૬ કિલોથી વધુના ગાંજાના છોડ કબજે લીધા હતા. એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ મહતં અને તેની સાથે જે કોઈ સંકળાયેલા હશે તેની સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધાઈ શકે છે.
ેએક સાહની અંદર જો દબાણ દુર કરવામાં નહીં આવે તો કલેકટર તંત્રની ટીમ દ્રારા આ દબાણ તોડી પડાશે. ધમાલીયા મહતં જીજ્ઞેશ ધામેલીયાને એક ભુલ ભારે પડી ગઈ. આ આશ્રમમાંથી ગાંજાનું વાવેતર પકડાતા ત્યાં આવતા સેવાભાવીઓ તેમજ આસપાસના ગ્રામજનોમાં પણ રોષ દેખાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application