રાજકોટ શહેરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ૬૯ ગ્રાન્ટેડ શાળાઓ આવી છે અને તેમાં ૨૫,૦૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આમાંથી અમુક શાળાઓ રાજા રજવાડાઓના વખતમાં અને અંગ્રેજોના સમયમાં બાંધવામાં આવી છે. આ પૈકીની ૧૫ શાળાને જુદા જુદા કારણોસર ફાયર સેટીના મામલે નોટિસ આપવામાં આવતા અને સીલ કરી દેવાતા રાજકોટ શહેર જિલ્લા શૈક્ષણિક સઘં સંકલન સમિતિ દ્રારા જિલ્લા કલેકટર પ્રભવ જોશી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
સંકલન સમિતિના જણાવ્યા મુજબ રાજા રજવાડા અને અંગ્રેજોના વખતમાં બાંધકામને લગતા આવા કોઈ નિયમો ન હતા. ગુજરાત રાયની સ્થાપના પછી ૧૯૬૨ પછી મકાન બાંધકામ રજા ચિઠ્ઠી નિયમની અમલવારી કરવામાં આવતી હતી. ૨૦૦૧ના ભૂકપં પછી મકાન વપરાશ પ્રમાણપત્ર (બીયુપી)ની અમલવારી થઈ છે. ૨૦૦૧ પહેલાના બાંધકામ માટે સ્ટ્રકચર સ્ટેબિલિટી નું માન્ય એન્જિનિયર નું પ્રમાણપત્ર માન્ય રાખવું જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech