જુનાગઢ જિલ્લામાં વિચારધારા વિમુક્ત જાતિ પ્રમાણપત્ર હેતુ અભિયાન વ્યાપક બન્યું છે.
વિચરતી અને વિમુક્ત જાતિઓને સરળતાપુર્વક સરકારની વિવિધ યોજનાઓની ઉપલબ્ધિ તથા લાભાર્થે જુનાગઢ જિલ્લાના વંથલી, કેશોદ તથા જુનાગઢમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે વિચરતા સમુદાય સમર્થન મંચ તથા સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશનના નેજા હેઠળ પ્રમાણપત્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.વંથલી તાલુકાના સાંતલપુર ધાર વિસ્તાર,કણજા તેમજ કેશોદના લુશાળા તથા જુનાગઢના ઈવનગર જેવા પછાત અને અંતરિયાળ વિસ્તારો તથા ગામોમાં વિચરતા સમુદાય સમર્થન મંચના જુનાગઢ જિલ્લા ફિલ્ડ કો-ઓર્ડીનેટર પ્રફુલભાઈ પ્રજાપતિ તથા સૌરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશનના રમેશભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત યોજી વિચરતી અને વિમુક્ત જાતિઓ પૈકીના દેવીપુજક સમાજમાં વિમુક્ત જાતિના પ્રમાણપત્રની અગત્યતા અને મહત્વની વિસ્તારપુર્વક સમજ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયને વ્યવસાય હેતુ તેમજ સરકાર દ્વારા ફાળવાયેલ પ્લોટ પર મકાન બાંધકામ હેતુ લોન સહાય આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech