તમિલનાડુના મંત્રી અને ડીએમકેના નેતા એસએસ શિવશંકરે ભગવાન રામના ઐતિહાસિક પુરાવા પર સવાલ ઉઠાવ્યા બાદ વિવાદ શરુ થયો છે. તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં બોલતા તમિલનાડુના પરિવહન મંત્રી શિવશંકરે કહ્યું કે જ્યારે કેટલાક લોકો દાવો કરે છે કે ભગવાન રામનો ઈતિહાસ 3,000 વર્ષ જૂનો છે, પરંતુ આના માટે કોઈ ઐતિહાસિક પુરાવા નથી.
તેમણે કહ્યું કે તેનાથી વિપરીત અમારી પાસે રાજેન્દ્ર ચોલ યુગના પુરાવા તરીકે મંદિરો, શિલાલેખો અને તાંબાની પ્લેટો છે. તેમણે ચેતવણી આપી હતી કે રાજેન્દ્ર ચોલાની ઉજવણી ન કરવાથી સમાજ પર ઈતિહાસ વગરના લોકો થોપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ચોલ વંશના રાજા રાજેન્દ્ર ચોલાએ વર્ષ 1014 થી 1044 સુધી શાસન કર્યું હતું. તેઓ ગંગાઈકોંડા ચોલન, રાજેન્દ્ર મહાન અને કદરામ કોંડન તરીકે પણ ઓળખાય છે. તેમણે કહ્યું, અમારા પરિવારમાં અમારા માતાપિતા અને પૂર્વજો માટે દર વર્ષે કોઈને કોઈ તહેવાર ઉજવવાની પરંપરા છે. આથી આપણે એક કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ અને રાજેન્દ્ર ચોલાની ઉજવણી કરવી જોઈએ, જેમણે આ ભૂમિને ગૌરવ અપાવ્યું છે. તેમણે કહ્યું કે રામનો ઈતિહાસ 3000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, પરંતુ રામના અસ્તિત્વનો કોઈ પુરાવો કે ઈતિહાસ નથી, પરંતુ આપણા રાજા રાજેન્દ્ર ચોલના શાસનના પુરાવા તરીકે આજે પણ આપણી પાસે મંદિરો અને તળાવો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech