રાજકોટમાં બપોરે ૧–૩૦થી ૪–૩૦ સુધી હવે ટ્રાફિક પોલીસ જોવા નહીં મળે

  • May 22, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયમાં અત્યારે ગરમીનો પારો આગ ઓકી રહ્યો છે. બળવળતા તાપમાં રાજકોટ શહેરમાં ટ્રાફિક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, વોર્ડનો માટે હવે બપોરના ૧.૩૦થી ૪.૩૦ સુધી નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી ફરજ મુકિત અપાઈ છે. સાથે સ્ટાફને ગોગલ્સ અને કેપ પહેરવાની છૂટ ભર્યા અધિકારીઓ દ્રારા સંવેદનારૂપ નિર્ણય લેવાયો છે.
રાજકોટમાં આજથી તો મહાપાલિકા દ્રારા આકરાં તાપને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. ટ્રાફિક પોલીસની તો મહત્તમ ફિલ્ડ ડયૂટી જ હોય છે અને સર્કલો, માર્ગેા પર ખુલ્લ ામાં આવા ૪૪–૪૫ ડિગ્રી જેવા અંગારારૂપ તડકામાં ટ્રાફિક નિયમન માટે પોલીસ તથા વોર્ડને રહેવું પડે છે. આમ તો બપોરના સમયે અસહ્ય ગરમીને લઈને સ્વયંભૂ કહ્યું કે વાહનોની સાવ પાંખી અવરજવર બની જાય છે.

બપોરના ત્રણ કલાકના દોઢથી સાડાચાર વાગ્યા સુધક્ષના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ કે વોર્ડન ફરજ પર નહીં જોવા મળે. એ સમયમાં પીએસઆઈ વાહનમાં પેટ્રોલિંગમાં રહેશે. ઉનાળાની ગરમીના થોડા દિવસ સુધી સવારે ૭થી ૧.૩૦ અને સાંજે ૫થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ટ્રાફિક પોલીસની ડયૂટી રહેશે. દિવસ દરમિયાન ફરજમાં પોલીસને ગોગલ્સ, કેપ પહેરવાની છૂટ અપાઈ છે. ટ્રાફિક બ્રાંચના કર્મીઓ દ્રારા ઉચ્ચ અધિકારીઓના આ નિર્ણયને સંવેદનારૂપ ગણાવાયો છે. આમ પણ ૨૪ કલાક પ્રજા માટે ખડેપગે માનવી જ છેને

એનો મતલબ એવો પણ નથી કે વાહનધારકોને નિયમો તોડવાનો છે?

ટ્રાફિક પોલીસને બપોરે ત્રણ કલાક ફરજ મુકિતની છૂટ અપાઈ છે એટલે એનો મતલબ એવો નથી કે વાહનધારકો પોલીસ હોય તો જ ટ્રાફિક નિયમનનું પાલન કરે બાકી આ સમયગાળામાં નિયમ તોડવાની છૂટ ના એવું ન રાખતા સીસીટીવી કેમેરા તો ચાલુ જ છે જો વાહનધારકો પોલીસની ગેરહાજરીમાં નિયમ તોડશે તો સીસીટીવીમાં તો પકડાઈ જ જશે. ઘરે ઈ–ચલણ આવી જશે. માટે કાયદેમે રહોંગે તો ફાયદેમે રહોંગે મુજબ જ ચાલવુ હિતાવહ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application