બીજી વખત માતા બનવાની ઈચ્છા નથી: એકતા કપૂર
ખોટી માહિતી શેર કરનારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
ભલે પ્રોડ્યુસર એકતા કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફથી બધાને જ અપડેટ રાખતી હોય, પણ તે પર્સનલ લેવલ પર લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. એકતા સિંગલ છે અને એક બાળકની માતા છે. હવે તેની પાર્સલ લાઈફ સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે.
ફેમસ પ્રોડ્યુસર એકતા કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. ફિલ્મો અને ટીવી શો પ્રોડ્યુસ કર્યા પછી, તે હવે ઓટીટી પર ખૂબ જ સક્રિય છે અને તેની ઘણી સફળ વેબ સિરીઝ આવી ચુકી છે. એકતા કપૂર તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં નથી રહેતી. તે લાઈમલાઈટથી દૂર રહે છે અને માત્ર ખાસ પ્રસંગોએ જ જોવા મળે છે. એકતા 48 વર્ષની ઉંમરે પણ સિંગલ છે અને એક બાળકની માતા છે. હવે રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે તે સરોગસી દ્વારા ફરીથી માતા બનવા જઈ રહી છે. પરંતુ હવે આ રિપોર્ટ પર એક નવું અપડેટ આવ્યું છે.
ખરેખર, તાજેતરમાં એક અહેવાલ આવ્યો હતો કે એકતાનો દીકરો રવિ હવે 5 વર્ષનો થઈ ગયો છે અને હવે તેને પણ એક સિબલિંગ જોઈએ છે. ત્યારે એકતા કપૂર પણ આ વાત પર ધ્યાન આપી રહી છે અને સરોગસી દ્વારા ફરીથી માતા બનવાનું વિચારી રહી છે. પરંતુ હવે નવા અહેવાલમાં આ સમાચારને નકારી કાઢવામાં આવ્યા છે અને તેને માત્ર અફવા ગણાવવામાં આવી છે. નવા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે - ફક્ત એક્સક્લુઝિવ્સ અને લાઇક્સના બદલામાં ખોટી માહિતી શેર કરવી તે કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. કોઈપણ સમાચારને પહેલા સંપૂર્ણ સન્માન આપવું જોઈએ અને પહેલા તેની તપાસ થવી જોઈએ.
તુષાર પણ સરોગસી દ્વારા પિતા બન્યો હતો
જણાવી દઈએ કે માત્ર એકતા કપૂર જ નહીં પરંતુ તેનો નાનો ભાઈ તુષાર કપૂર પણ પોતાની મોટી બહેનના પગલે ચાલીને સરોગસી દ્વારા પિતા બન્યો. તેના પુત્રનું નામ લક્ષ્ય છે. બંને ભાઈ-બહેન લાઈમલાઈટથી દૂર રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તુષાર કપૂર હજુ પણ ફિલ્મોમાં એક્ટિવ છે પણ ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લી વખત તે તેની બહેન એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2માં જોવા મળ્યો હતો. આ સિવાય તે ફરહાદ સામજીની ઓટીટી સિરીઝ પોપ કૌનમાં પણ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech