મધ્યપ્રદેશના ઈન્દોરમાં એકસાથે 20 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. આ લોકોએ મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો છે. ખજરાના ગણેશ મંદિરમાં પૂજા અને હવન કર્યા બાદ આ તમામ 20 લોકો હિંદુ ધર્મમાં પરત ફર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ માલવા પ્રાંતના વડા સંતોષ શર્માના નેતૃત્વમાં આ 20 લોકોએ મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. ઝમીન બી (58) હવે જમના બાઈ તરીકે ઓળખાશે, નીલોફર શેખ (34) હવે નિકિતા તરીકે ઓળખાશે, અક્ષા શેખ (34) હવે આકાંક્ષા તરીકે ઓળખાશે, રઝાક હવે રોહિત તરીકે ઓળખાશે.
જેઓ ઘરે પરત ફર્યા છે તેઓ લાંબા સમયથી વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા લોકોના સંપર્કમાં હતા. ત્યાર બાદ આજે એટલે કે શુક્રવારે તેમના માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગંગાજળ છાંટીને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવી હતી. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ તેમને ઘરે પરત મોકલ્યા હતા. જે મુસ્લિમોએ હિંદુ ધર્મ અપનાવ્યો છે. તેમાં ઈન્દોરના ચંદન નગર, ખજરાના અને મંદસૌર અને નીમચના ઘણા લોકો સામેલ છે.
અંજુમ શાહ હવે આરતી બની છે, અબરાર હવે અભિષેક, મુબારક હવે મનીષ, રઈસ હવે રાજુ છે, રઈસ ખાન હવે અર્પિત, સુરાયા બી હવે પૂજા, મેહરૂન બી હવે મમતા, કાલુ ખાન હવે કરુણલાલ, રુકૈયા હવે રૂકમણી બની છે. ઝાલિમ બી હવે જાનવી, ઝાકિર હવે રાહુલ, રઝિયા હવે રાની તરીકે ઓળખાશે અને શમીમ શાહ હવે સાનુ તરીકે ઓળખાશે. આ બધા માને છે કે મુસ્લિમ ધર્મમાં કટ્ટરતા છે, ટ્રિપલ તલાક અને હલાલા જેવી પ્રથાઓ છે, જે તેમને પસંદ નથી.
હિંદુ ધર્મમાં સ્વતંત્રતા
તેઓ કહે છે કે જો આ લોકો આ પ્રથાનો વિરોધ કરે છે તો તેમને સોસાયટીમાં હરવા-ફરવામાં અને હુક્કા-પાણી પણ બંધ કરી દેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આવું કંઈ થતું નથી. તે બધા કહે છે કે હિન્દુ ધર્મમાં દરેકને સંપૂર્ણ સ્વતંત્રતા છે. સ્ત્રી હોય કે પુરુષ દરેકને સમાન સ્વતંત્રતા છે. મુસ્લિમમાંથી હિન્દુ બનેલા તમામ લોકોએ કલેક્ટર કચેરીમાં આવેદન સાથે એફિડેવિટ પણ આપી છે. હિંદુ ધર્મ અપનાવવામાં દરેક લોકો ખૂબ જ ખુશ છે.
મુસ્લિમમાંથી હિંદુ બનેલી મહિલાઓએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી સનાતન ધર્મ અપનાવવા માગતી હતી. પરંતુ તે આમ કરવા સક્ષમ ન હતી. ત્યારબાદ હાલમાં જ તેઓ વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકરોને મળ્યા હતા. તે પછી તેઓએ સનાતન ધર્મમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સમૂહ નવકાર મંત્ર જાપ, વિશ્વ નવકાર દિવસની ઉજવણી
April 09, 2025 01:08 PMજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech