કોહલીના પિતા બનવાના સમાચાર ખોટા: ડી'વિલિયર્સે કર્યેા ખુલાસો

  • February 09, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ દિવસોમાં વિરાટ કોહલીને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ભારતીય બેટસમેનના ખાસ મિત્ર એબી ડી વિલિયર્સે ખુલાસો કર્યેા હતો કે તે પિતા બનવા જઈ રહ્યો છે, જેના કારણે તે ઈંગ્લેન્ડ વિદ્ધ ટેસ્ટ શ્રેણી રમી રહ્યો નથી. પરંતુ હવે ડીવિલિયર્સે ફરીથી ખુલાસો કર્યેા છે અને કહ્યું છે કે તેણે મોટી ભૂલ કરી છે અને કોહલીના પિતા બનવાના સમાચાર ખોટા છે.

યારે ચાહકો કોહલી વિશે પોતપોતાના અનુમાન લગાવી રહ્યા હતા, ત્યારે ડી વિલિયર્સે કોહલીના ફરીથી પિતા બનવાની વાત કરી પરંતુ હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટસમેનને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીની પ્રાઈવસી વિશે કહ્યું, ક્રિકેટ પહેલા પરિવાર આવે છે. મેં મારી યુટુબ ચેનલ પર એક મોટી ભૂલ કરી છે. તે માહિતી ખોટી હતી

લગભગ ૫ દિવસ પહેલા એબી ડી વિલિયર્સે તેની યુટુબ ચેનલ દ્રારા ખુલાસો કર્યેા હતો કે વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે, જેના કારણે તે ક્રિકેટમાંથી બ્રેક પર છે. આ દિવસોમાં, કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જોકે, કોહલી કે બીસીસીઆઈએ આ વાતનો ખુલાસો કર્યેા નથી કે કોહલીએ શા માટે પીછેહઠ કરી.
ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બે મેચ રમાઈ ચૂકી છે. બીસીસીઆઈએ પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થવાની બાકી છે. પરંતુ મીડિયા રિપોટર્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી બાકીની ત્રણ ટેસ્ટમાંથી પણ બહાર રહી શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application