એફએસએસએઆઈ હવે ખાધ ચીજવસ્તુઓમાં માઇક્રોપ્લાસ્ટિકસ પર ગંભીર બન્યું છે અને નારોગ્ય સાથે થઈ રહેલ ચેડા રોકવા મેદાને પડું છે. લોકોને સલામત ખોરાક મળી રહે તે માટે માટે નવી યોજના શ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ખાધ સુરક્ષા નિયમનકાર એફએસએસએઆઈએ ખાધ ચીજવસ્તુઓમાં માઇક્રોપ્લાસ્ટિકસની હાજરી ને પહોચી વળવા નવી યોજના શ કરી છે. આમાં વિશ્લેષણાત્મક પ્રોટોકોલ બનાવવા અને ગ્રાહકોમાં જોખમો અંગે જાગૃતિ લાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશની અન્ય સંસ્થાઓ દ્રારા અભ્યાસ હાથ ધરવામાં આવશે.
ફડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાધ ચીજોમાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરીને પહોંચી વળવા માટે નવી યોજના પર કામ શ કયુ છે. આ યોજનામાં માઇક્રો–નેનો–પ્લાસ્ટિક પૃથ્થકરણ માટે પ્રમાણભૂત પ્રોટોકોલ બનાવવા, ઇન્ટ્રા અને ઇન્ટર લેબોરેટરી સરખામણીઓ કરવા અને ગ્રાહકોમાં માઇક્રોપ્લાસ્ટિક જોખમો વિશે જાગૃતિ અભિયાન ચલાવવાનો સમાવેશ થાય છે.એક અભ્યાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં સીએસઆઈઆર, ઇન્ડિયન ઇન્સ્િટટૂટ આફ ટોકિસકોલોજી રિસર્ચ લખનૌ, આઈસીએઆર, સેન્ટ્રલ ઇન્સ્િટટૂટ આફ ફિશરીઝ ટેકનોલોજી કોચી અને બિરલા ઇન્સ્િટટૂટ આફ ટેકનોલોજી અને સાયન્સ પિલાની સામેલ છે. એફએસએસએઆઈ દેશના ખાધ સુરક્ષા નિયમનકાર તરીકે, ભારતીય ગ્રાહકોને સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળે તેની ખાતરી કરશે.
ભારત માટે વિશ્ર્વસનીય ડેટા જનરેટ કરવો અત્યતં જરૂરી
માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણને ઉભરતા જોખમ તરીકે જોવામાં આવે છે.વિવિધ ખાધ ઉત્પાદનોમાં સૂમ અને નેનોપ્લાસ્ટિકસ શોધવા માટે વિશ્લેષણાત્મક પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. તાજેતરમાં એક અહેવાલમાં, ખાંડ અને મીઠું જેવી સામાન્ય ખાધ ચીજોમાં માઇક્રોપ્લાસ્ટિકસની હાજરી વિશે કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં માઇક્રોપ્લાસ્ટિકસની વૈશ્વિક હાજરીને પણ હાઇલાઇટ કરવામાં આવી છે. ભારતીય સંદર્ભમાં માનવ સ્વાસ્થ્ય અને સલામતી માટે આ મુદ્દાને સંપૂર્ણ રીતે સમજવા માટે વધુ મજબૂત ડેટાની જરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.યારે વૈશ્વિક સ્તરે હાથ ધરવામાં આવેલા અભ્યાસોએ વિવિધ ખાધ પદાર્થેામાં માઇક્રોપ્લાસ્ટિકસની હાજરીને પ્રકાશિત કરી છે, ત્યારે ભારત માટે વિશિષ્ટ્ર વિશ્વસનીય ડેટા જનરેટ કરવો મહત્વપૂર્ણ છે. આ નવી યોજના ભારતીય ખાધપદાર્થેામાં માઇક્રોપ્લાસ્ટિકની હાજરીની મર્યાદાને સમજવામાં અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે અસરકારક નિયમો અને સલામતી ધોરણો બનાવવામાં મદદ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAyushman Bharat Yojana: આયુષ્માન ભારતનું નવું કાર્ડ બનશે, રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે
September 11, 2024 10:52 PMપિતાના મૃત્યુ બાદ મલાઈકા અરોરાએ લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- તે અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા
September 11, 2024 10:48 PMPNB Fraud Case: નીરવ મોદી પર EDની મોટી કાર્યવાહી, 29.75 કરોડની સંપત્તિ કરશે જપ્ત
September 11, 2024 10:43 PMપાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત
September 11, 2024 10:39 PMજામનગર નજીક અલીયાબાડા પાસે ટ્રેન આપદામાં પહોંચી વળવા માટે તંત્ર દ્વારા મોકડ્રીલ યોજાઈ....
September 11, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech