ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિની છેલ્લા અઢી વર્ષથી ખાલી પડેલી જગ્યા પર ગત તારીખ ૧૪ માર્ચના રોજ નવા કાયમી કુલપતિ તરીકે અમદાવાદની એલ.એમ ફાર્મસી કોલેજ પ્રિન્સિપાલ મહેશભાઈ ત્રિકમભાઈ છાબરિયાની પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી.પરંતુ હજુ સુધી ચાર્જ સંભાળયો નથી અને પોતે આ જવાબદારી સંભાળવા માગતા નથી તેવો પત્ર ગવર્નર અને હોદ્દાની રૂએ કુલાધિપતિને પાઠવી દેતા શિક્ષણ જગતમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
મહેશભાઈ છાબરીયાએ આટલા દિવસ સુધી ચાર્જ ન સંભાળ્યો અને હવે લેખિતમાં ચાર્જ સંભાળવાનો ઇનકાર કરી દેતા તેના કારણો અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ બાબતે મહેશભાઈ છાબરિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મેં બે દિવસ પહેલા ગવર્નરને લેખિતમાં જાણ કરી દીધી છે. મેં ચાર્જ સંભાળ્યો જ ન હોવાથી રાજીનામું આપવાનો પ્રશ્ન રહેતો નથી. પરંતુ મેં પત્ર દ્વારા જાણ કરી દીધી છે. જવાબદારી ન સંભાળવાના કારણ અંગે પૂછતા મહેશભાઈ છાબરીયાએ જણાવ્યું હતું કે પારિવારિક કારણે હું આ જવાબદારી સંભાળી શકું તેમ નથી અને તે સિવાય બીજું કોઈ કારણ નથી. સર્ચ કમિટી એ લાંબા સમય સુધી કરેલી કવાયત ઉપર પાણી ઢોળ થઈ ગયું છે અને હવે નવેસરથી કુલપતિ શોધવા માટેની પ્રક્રિયા શરૂ કરવી પડશે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓમાં નવા કુલપતિ નિમવા માટેની કવાયત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ કાયમી કુલપતિની જગ્યા ખાલી છે. પરંતુ ચૂંટણીની જાહેરાત થતા આચારસંહિતાના કારણે સમગ્ર પ્રક્રિયા અટકી પડી છે. ભાવનગર યુનિવર્સિટીને નવા કુલપતિ મળી ગયા હતા પરંતુ તેમણે જવાબદારી સંભાળવાનો ઇનકાર કરતા હવે અહીં પણ નવેસરથી કવાયત કરવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech