રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે નવનિર્મિત એટીસી ટાવરમાંથી ફલાઈટ ઓપરેશન માટે ટ્રાયલ કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી નવા અને જૂના ટાવર બંનેમાંથી ટ્રાયલ કરવામાં આવી હતી જેને સફળતા મળી છે આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટના નવા ટર્મિનલ ના બિલ્ડીંગના ઉધ્ઘાટનમાં વિલબં થઈ રહ્યો છે તારીખ પર તારીખ મળી રહી છે. યારે નવો એટીસી ટાવર તૈયાર થઈ જતા હવે ટૂંક સમયમાં નવા સાધનોનું ઇન્સ્ટોલેશન પણ થઈ જશે.
રાજકોટના આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ ખાતે હાલના સમયમાં નવા બિલ્ડીંગ નું કામ ચાલી રહ્યું છે પરંતુ પહેલા ફેબ્રુઆરી અને ત્યારબાદ ૩૧ માર્ચ સુધીમાં બિલ્ડીંગ બનીને તૈયાર થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી, જોકે હજુ સુધી આ બિલ્ડીંગ માં ઘણું બધું કામ બાકી હોવાથી નજીકના સમયમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તેવી કોઈ શકયતા દેખાતી નથી.
આ દરમિયાન એરપોર્ટ ખાતે નવો ટેકનિકલ બ્લોક બનાવવામાં આવ્યો છે યાં એરપોર્ટ ડાયરેકટર ની કચેરીથી લઈ એટીસી ટાવર એક જ બિલ્ડિંગમાં તૈયાર થયો છે આ બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે આથી થોડા સમય પહેલા સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજા કરવામાં આવી હતી.
ગયા અઠવાડિયે નવા એટીસી ટાવર અને જુના એટીસી ટાવર બંનેમાંથી લાઈટ ઓપરેશન માટે પેરેલલ ટ્રાયલ કરવામાં આવી હતી. બંને ટાવર માંથી ૫૦% ૫૦ % જેટલી કામગીરી કરવામાં આવી હતી. આ પેરેલલ ટ્રાયલના આધારે લાઈટ ઓપરેશનમાં કઈ મુશ્કેલી કે પછી નવી કોઈ મશીનરી ની જરત છે કે શું તે તમામ બાબત ને ધ્યાનમાં લઇ ઝીણામાં ઝીણું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ સુધી ચાલેલી આ ટ્રાયલ ને સફળતા મળ્યા બાદ હવે ટૂંક સમયમાં એટીસી ટાવર નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ જશે અને ત્યારબાદ લાઇટ ઓપરેશન માટે નવા ઇકિવપમેન્ટ લાવી ફિટ કરાશે.આ પેરેલલ ટ્રાયલનો રિપોર્ટ પર ઉચ્ચ કક્ષાએ મોકલી દેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech