જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની 15 વર્ષની દીકરીને પાડોશમાં રહેતો શખસ ભગાડી ગયા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા અને સગીરાને મુક્ત કરાવવા તપાસ હાથ ધરી છે.
શહેરની ભાગોળે જામનગર રોડ પાસેના વિસ્તારમાં રહેતા મૂળ યુપીના વતની વિધવા મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા જયરાજ કાઠીનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. પતિનું કેન્સરની બીમારીથી નવેક વર્ષ પૂર્વે અવસાન થયું છે.
મંગળવારે રાત્રિના એકાદ વાગ્યા આસપાસ તેમની નાની દીકરીએ તેમને જગાડી કહ્યું હતું કે, બહેન ક્યાંક જતી રહી છે. જેથી મહિલાએ તેમની 15 વર્ષની દીકરી પાડોશમાં રહેતા જયરાજ કાઠી સાથે ભાગી ગઈ હોવાની શંકાએ તેના ઘરે જઈ તપાસ કરતા જયરાજ કાઠી પણ ઘરે ન હતો. અઠવાડિયા પૂર્વે મહિલાને જાણ થઈ હતી કે, તેમની દીકરીને પાડોશી જયરાજ કાઠી સાથે પ્રેમ સંબંધ છે જેથી આ બાબતે ઠપકો આપી સંબંધ મૂકી દેવા કહ્યું હતું. દરમિયાન રાત્રિના દીકરી લાપતા બનતા પાડોશી પણ ઘરે ન હોય અને તેના પરિવારજનો આ બાબતે અજાણ હોય દીકરીની આસપાસ શોધ કરી હતી. પરંતુ તેમ છતાં તેનો કોઈ પતો ન લાગતા અંતે ગાંધીગ્રામ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાને ભગાડી જનાર જયરાજ કાઠીને શોધી કાઢવા અને સગીરાને મુક્ત કરાવવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ વી.આર.વસાવા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech