પોરબંદર શહેરના ૫૫ જેટલા બિસ્માર રસ્તાઓ બે કરોડ સોળ લાખના ખર્ચે નવા બનાવવાની કામગીરી શ થઇ છે પરંતુ તેમાં ઠેર-ઠેર એવું જોવા મળ્યુ છે કે રસ્તાના કામમાં નીતિનિયમોનું પાલન થતુ નથી અને લોકોની નજરે આ બાબત સ્વાભાવિક રીતે જ વારંવાર ચડતી હોવાથી પ્રેસના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ છે.
પોરબંદર શહેરમાં ચોમાસા દરમ્યાન મોટા ભાગના રસ્તાઓ ભંગાર હાલતમાં ફેરવાઇ ગયા છે અને તેના નવીનીકરણ અને પેચવર્ક માટે નગરપાલિકાના તંત્રએ બે કરોડ સોળ લાખ જેવી માતબર રકમ ફાળવી હોવાનુ નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યુ હતુ. તે અંતર્ગત હાલમાં સમારકામની કામગીરી શ થઇ ચૂકી છે. પરંતુ તેમાં ઉડીને આંખે વળગે તેવી ક્ષતિઓ પણ દેખાઇ રહીછે જેમાં કોઇપણ રોડનુ પેચવર્ક કરવાનુ હોય ત્યારે એ રસ્તાને ખોદીને વ્યવસ્થિત રીતે ડામર પાથરવાનો હોય છે તેના બદલે અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવે છે બાકી મુખ્ય અનેક રસ્તાઓ ઉપર એમજ ડામર પાથરી દેવામાં આવ્યો હોવાનું નજરે ચડયુ છે. અમુક સુધરાઇસભ્યોએ પણ નામ નહી આપવાની શરતે જણાવ્યુ હતુ કે આ પ્રકારની કામગીરીને લીધે થોડા સમયમાંજ રસ્તાઓ ફરીથી ભાંગીને ભુકકો થઇ જાય તેવી શકયતાઓ જણાઇ રહી છે. માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ વ્યવસ્થિત રીતે પેચવર્ક થાય તે માટે જરી સુચના આપવી જોઇએ અને જર જણાય ત્યાં નગરપાલિકાના એન્જીનીયરીંગ વિભાગના અધિકારીઓને દોડાવીને તે અંગે તપાસ હાથ ધરવી જરી બની છે. કારણકે વારંવાર રસ્તાઓ બિસ્માર બની જાય તેની પાછળ કયાકને કયાંક પોરબંદર નગરપાલિકાના સત્તાધીશોની જવાબદારી પણ એટલી જ જવાબદાર છે અને પ્રજાની પરસેવાની કમાણીના કરવેરાના પિયા આ રીતે વેડફાઇ જાય તે પોરબંદરવાસીઓ પણ સહન કરી શકશે નહીં માટે તંત્રના સત્તાધીશોએ તપાસ હાથ ધરીને યોગ્ય નિયમ અને માપદંડ પ્રમાણે રસ્તાના પેચવર્કની કામગીરી કરવામાં આવે તે અંગે વ્યવસ્થા ગોઠવવી જરી બની ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMજસદણ- વીંછિયા પોલીસે પકડેલા રૂ. ૪૪.૧૪ લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું
April 24, 2025 10:59 AMકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMભારતે પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને પર્સોના નોન ગ્રેટા નોટ મોકલી, સાદ અહેમદ વારચને સમન્સ
April 24, 2025 10:55 AMપાકિસ્તાન મોત ભાળી ગયું, અરબી સમુદ્રમાં મિસાઇલ કવાયત શરુ કરી દીધી
April 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech