નયનતારાની મુશ્કેલી વધી, હવે જબલપુરમાં નોંધાઈ ફરિયાદ

  • January 11, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથની  સુપરસ્ટાર અભિનેત્રી સામે મુંબઈ બાદ વધુ એક એફઆઈઆર, ભગવાન રામનું અપમાન ભારે પડ્યું


નયનતારા અને તેની ફિલ્મ 'અન્નપૂર્ણી 'ની સામે થોડા સમય પહેલાં મુંબઈમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે મધ્યપ્રદેશનાં જબલપુરમાં પણ એક્ટ્રેસ અને ફિલ્મની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

સાઉથની એક્ટ્રેસ નયનતારાનો રોલ વિવાદમાં સપડાયો છે.

ફિલ્મ અન્નપૂર્ણી પર મુંબઈ બાદ એમપીમાં નોંધાઈ FIRહે ફરિયાદ.

હિંદૂ સમુદાયની ધાર્મિક લાગણીઓને દુભાવ્યાનો આરોપ તેમના પર મુકવામાં આવ્યો છે.


નયનતારા અને જયની ફિલ્મ અન્નપૂર્ણી હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે પણ આ ફિલ્મને લઈને સતત વિવાદો ચાલી રહ્યાં છે. ફિલ્મ પર હિંદૂ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન રામ સંબંધિત એક વિવાદસ્પદ ટિપ્પણીને ફિલ્મમાં સામેલ કરવામાં આવી છે અને આ જ કારણોસર અન્નપૂર્ણને આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે ફિલ્મનાં મેકર્સ અને ડાયરેક્ટર્સની સાથે એકટ્રેસ નયનતારા સહિત સંપૂર્ણ સ્ટાર કાસ્ટની સામે મુંબઈ બાદ હવે મધ્યપ્રદેશનાં જબલપુરમાં પણ FIR નોંધવામાં આવી છે.


મુંબઈમાં અન્નપૂર્ણીનાં મેકર્સની સામે ફરિયાદ

નયનતારા અને જયનાં લીડ રોલવાળી ફિલ્મ અન્નપૂર્ણી-ધ ગોડેસ ઓફ ફૂડ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તેનું ડાયરેક્શન નનીલેશ કૃષ્ણા દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઈમાં ફરિયાદી રમેશ સોલંકીએ એક્સ પ્લેટફોર્મ પર નિવેદન શેર કરતાં લખ્યું કે એક પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહ આપતી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ફિલ્મ અન્નપૂર્ણીએ હિંદૂ ભાવનાઓને દુભાવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application