નવસારી: પૂર્ણા નદીના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં કરાયા સ્થળાંતર

  • July 26, 2024 11:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સહિસલામત સુરક્ષિત સ્થાન ઉપર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફુટ છે જે હાલ 28 ફુટની સપાટી સાથે 5 ફુટ ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલ છે.


નવસારી શહેરના 40 ટકા જેટલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પૂરની સ્થિતિને પગલે એસડીઆરએફની એક ટીમ નવસારીમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ ખાતેથી NDRFની ટીમને પણ નવસારીમાં ખસેડવામાં આવી છે.


પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application