ખંભાળિયાની શાળાના શિક્ષકો દ્વારા શ્વાનને પ્લાસ્ટિકની બરણીમાંથી મુક્ત કરી અપાયું નવજીવન

  • August 09, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાથી ભાણવડ તરફના માર્ગે એક શ્વાનનું છેલ્લા ઘણા દિવસોથી મોઢું પ્લાસ્ટિકની એક બરણીમાં ફસાઈ ગયું હતું. જેથી શ્વાસ, ખોરાક અને પાણીના અભાવે તે ખૂબ જ અશક્ત થઈ ગયું હતું. ત્યારે ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના શિક્ષકો એ.આર. ભટ્ટ અને રામભાઈ ભારવાડિયાને આ શ્વાન નજરે ચડતા લગભગ 3 કિલોમીટર પાછળ દોડી અને અડધો કલાકની જહેમત બાદ આ શ્વાનને પકડી,પ્લાસ્ટિકની બરણીમાંથી મુક્ત કરી, નવજીવન બક્ષ્યું હતું. જો હજુ પણ એકાદ દિવસ આ શ્વાનના મોઢામાં બરણી ફસાયેલી રહેત તો કદાચ તેનું મૃત્યુ નક્કી હોત.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application