તા.૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે

  • December 30, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવાઓના સાહસને પડકારતી ગિરનાર આંબવા  દર વર્ષે  ગુજરાત સરકાર દ્વારા  અખિલ ભારતીય ગિરનાર ચઢાણ-ઉતરાણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.તા.૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે જેમાં ભાગ લેવા માંગતા સ્પર્ધકો ૨૦ જાન્યુઆરી પહેલા અરજી કરી શકશે. 
​​​​​​​
કમિશ્નરેટ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૪ ફેબ્રુઆરીના યોજાશે. આ સ્પર્ધામાં ૧૪થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ અરજી જિલ્લ ા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિકારી, જૂનાગઢ ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ  ખાતે તા.૨૦ જાન્યુઆરી ના સુધીમાં મોકલી આપવા જિલ્લ ા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળાની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application