જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમીયસ બોડી દ્વારા આગામી તા. ૯ સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોકઅદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગનુ આયોજન કરવામાં આવનાર છે. જે અંગે માહિતી આપવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ ડી.બી. ગોહિલના અધ્યક્ષ સ્થાને ખંભાળિયામાં જિલ્લા અદાલત ખાતે ખાસ બેઠક યોજાઇ હતી.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવે જણાવ્યું હતું કે આગામી તા. ૯ સપ્ટેમ્બરના રોજ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગનુ આયોજન કરવામાં આવશે. જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે, લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ, જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ,પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસ વિગેરે મુકવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્વારા કુલ ૩૭૭૧ કેસો ફાઇન્ડ આઉટ કરી મુકવામાં આવેલ છે. આ ઉપરાંત એવા કેસો કે જે હજુ સુધી અદાલતમાં આવેલ નથી તેવા પ્રિ-લીટીગેશન કેસો, જેમાં પબ્લીક યુટીલીટી સર્વિસીસ સાથે સંકળાયેલા કેસો વીજ તથા પાણી ના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એકટના કેસો, બેંક રીકવરી કેસો, લેબર ડીસ્પ્યુટસના કેસો વિગેરે માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલત પૂર્વે લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-કાઉન્સીલીંગ તથા પ્રિ-સિટિંગ યોજવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જુદા-જુદા સ્ટેક હોલડરો જેવા કે, વકીલો, સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે આ લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલું છે.
લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી પુરો કરાવવા ખંભાળિયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તેમના વિસ્તારમાં આવેલી અદાલતનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્ત મંડળના ચેરમેન (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ) એસ.વી. વ્યાસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે જિલ્લા સ્તરે ખંભાળિયામાં જિલ્લા ન્યાયાલય કાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ફોન: ૦૨૮૩૩-૨૩૩૭૭૫) તથા તાલુકા સ્તરે તાલૂકા કાનૂની સેવા સમિતિ, તાલુકા અદાલત, ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા, ઓખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech