પાકિસ્તાનના લોકો મારી આ વાત ખાસ સાંભળો... તમારી સરકાર-સેના આતંકવાદને પ્રેરણા આપે છે, આતંકીઓ શાંતિથી રોટી ખાવ નહીંતર મારી ગોળી ખાવઃ મોદી

  • May 26, 2025 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. સવારે વડોદરામાં રોડ-શો યોજ્યા બાદ દાહોદ પહોંચ્યા હતા. ત્યાં દેશના પ્રથમ 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું અને વેરાવળથી સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. બાદમાં નરેન્દ્ર મોદી ભુજ પહોંચ્યા છે અને તેમનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. બાદમાં ભુજમાં રૂ.53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. 1971ના યુદ્ધમાં રન વે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણાં લીધા હતી. નરેન્દ્ર મોદીએ સભા સંબોધી રહ્યા છે અને તેઓએ જણાવ્યું કે, કચ્છની ધરતી પર આશાપુરા માતાજી આપણી બધી આશા પુરી કરે છે



મોદીનું સંબોધન

હું રાજનીતિમાં પણ નહોતો ત્યારે કચ્છની ધરતી પર સતત આવવું એ મારી કાર્યશૈલી છે. કચ્છના લોકોનો આત્મવિશ્વાસ હંમેશા મારા જીવનને દિશા આપી રહ્યો છે. જૂની પેઢીના લોકો જાણે છે, મુખ્યમંત્રીના રૂપમાં નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું ત્યારે કચ્છ માટે દિવાળી બની ગયું હતું. મા નર્મદાએ આપણા પર કૃપા કરી. મારું સૌભાગ્ય છે કે, સૂકી ધરતી પર પાણી પહોંચાડવાનો યશ મળ્યો. 


મોદીનું સંબોધનનું LIVE અપડેટ પોઈન્ટમાં

- વર્ષો સુધી મેં કચ્છમાં અનુભવ કર્યો અને આ ભૂમિ પર વિકાસનું સપનું જોઈ રહ્યો હતો

- કચ્છએ દેખાડી દીધું કે સ્થિતિઓને પરિવર્તિત કરી શકાય છે

- ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગતું કે બસ બધુ ખતમ, કચ્છ મોતની ચાદર ઓઢીને સૂતું હતું. પણ મારો વિશ્વાસ કચ્છની ખમીર પર હતો. એટલે તો ભણાવવું પડશે કે કચ્છનો ક અને ખમીરનો ખ

- ભૂકંપને હરાવીને મારું કચ્છ ઊભું થઈ જશે અને એ તમે કરી બતાવ્યું, હું કચ્છના વિકાસને ગતિ આપવા આવું છું ત્યારે મને લાગે છે કે હજી મારે વધુને વધુ કરવું છે

- એક સમય હતો કે 50 હજારની યોજના સાંભળવા મળતી નહોતી પણ આજે એક યોજનામાં 50 હજાર કરોડ મળે છે

- આપણું કચ્છ દુનિયાનું સૌથી મોટું હરિયાળુ કેન્દ્ર બની રહ્યું છે

- ગ્રીન હાઈડ્રોજન નવું ઈંધણ છે જેનાથી કાર, બસ, સ્ટ્રીટ લાઈટ બધું તેનાથી ચાલશે, કંડલામાં આવેલું કારખાનું તેમાનું એક છે.

- એક જમાનો હતો કચ્છનું વર્ણન કરીએ એટલે કહેતા કે અમારે તો રણ છે અને અહીં શું થાય, એ વખતે હું કહેતો કે આ રણ નહીં મારું ગુજરાતનું તોરણ છે. આ રણ આખા ભારતને ઉર્જાવાન બનાવશે. 

- સાથીઓ અમારી સરકારનો પ્રયાસ છે કે તમને પૂરી વીજળી મળે અને બિલ ઝીરો હોય, એટલે અમે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરી છે જેમાં લાખો પરિવાર જોડાયા છે.

- દેશના મોટા પોર્ટે એક વર્ષમાં 15 કરોડ ટન કાર્ગો હેન્ડલ કર્યા છે.

- બજેટમાં શીપ બિલ્ડિંગ પર પણ જોર દેવામાં આવ્યું છે, જેનાથી ભારતમાં મોટા જહાજ બનાવીશું

- એક જમાનામાં માંડવી આના માટે પ્રખ્યાત હતું, આપણે હવે તેનું ઉત્પાદન કરીને નિકાસ કરવા માગીએ છીએ

- આ ક્ષેત્ર એવું છે કે તેમાં રોજગારની સૌથી મોટી તક છે

- ભૂજમાં ટેક્સટાઈલ, સિરામિક, મીઠા સાથે જોડાયેલા ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે.

- આજ કચ્છની કેરી, ખજૂર અને ડ્રેગન ફ્રૂટ તો કમાલ કરી રહ્યું છે.

- એક સમય હતો જ્યારે કચ્છ પલાયન કરવા મજબૂર હતું

- કચ્છનો રણોત્સવ દિવસેને દિવસે લોકોમાં ચહીતો બની રહ્યો છે

-  મેં વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દેશ 11 નંબર પર હતો અને આજે 11 વર્ષે દેશ 4 નંબરે પહોંચી ગયો

- ભારત ટૂરીઝમનો દેશ છે, પાકિસ્તાન જેવો દેશ પણ છે જે આતંકવાદને જ ટૂરીઝમ માને છે

- પાકિસ્તાનને પણ ઈર્ષ્યા થઈ જાય તેવું કચ્છ બનાવી દીધું છે

- ઓપરેશન સીંદૂરે સ્પષ્ટ કરી દીધું છે કે, જે પણ ભારતીયોનું લોહી વહેડાવવાની કોશિશ કરશે તેને તેની ભાષામાં જ જવાબ દેવામાં આવશે

- ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું પરિણામ છે

- 22 મે બાદ મેં છૂપાવ્યું નહીં અને જાહેરાત કરી હતી કે, આતંકવાદના ઠેકાણાઓને માટીમાં ભેળવી દઈશ

- આપણે દુનિયાને દેખાડ્યું કે આતંકવાદના અડ્ડાઓને અહીંયા બેઠા બેઠા ધૂળમાં મિટાવી શકીએ છીએ

- 1971ને યાદ કરો જે વિરાંગનાઓ અહીં આવી હતી તેઓએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. 72 કલાકમાં આખો રન-વે બનાવી દીધો હતો. 

- માતાએ આપેલો સિંદૂરનો છોડ હવે પીએમ હાઉસમાં લગાવવામાં આવશે

- પાકિસ્તાનના એરબેઝોને તબાહ કરી દીધા, આખું પાકિસ્તાન કાંપી રહ્યું હતું

- પાકિસ્તાને 1971માં ભુજ  એરબેઝ પર હુમલો કર્યો હતો ત્યારે આપણી બહેનોએ કરી બતાવ્યું હતું

- આપણે પાકિસ્તાનને એવો જવાબ આપ્યો કે તેના બધા જ એરબેઝ આજે પણ આઈસીયુમાં પડ્યા છે

- પાકિસ્તાન શરણાગતિ પર આવી ગયું, ભારતનું રૌદ્ર સ્વરૂપ જોયું

- પાકિસ્તાનના નાગરિકો અને ખાસ કરીને બાળકો મોદીની આ વાત ખાસ સાંભળી લો કે તમારી સરકાર અને સેના આતંકવાદને પ્રેરણા આપે છે

- આતંકવાદની બિમારી ખતમ કરવા માટે પાકિસ્તાનના લોકોએ આગળ આવવું પડશે

- આતંકવાદીઓ શાંતિથી રોટી ખાવ નહીંતર મારી ગોળી ખાવ

- અષાઢી બીજની શુભકામના આપતો જાવ છું મારા કચ્છના વ્હાલા ભાઈઓ-બહેનો


પાકિસ્તાનના નાગરિકો મોદીની આ વાત ખાસ સાંભળી લો કે તમારી સરકાર અને સેના આતંકવાદને પ્રેરણા આપે છે, આતંકીઓ શાંતિથી રોટી ખાવ નહીંતર મારી ગોળી ખાવઃ PM મોદી



























લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News