અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે: નારણ કાછડિયાએ પણ છૂપી નારાજગી દેખાડી

  • March 29, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપમાં હાલ નારાજગી અને વિરોધનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પણ પોસ્ટ લખી આડકતરી રીતે દુ:ખ વ્યકત કયુ છે. અમરેલી બેઠકથી નારણ કાછડીયાની ટિકિટ કપાઇ ગઇ છે. ત્યારે નારણ કાછડિયાએ ફેસબુકમાં ૨ પોસ્ટ મુકી જે ચર્ચાનો વિષય બની છે. કાછડિયાએ પોસ્ટમાં ગીતામાં લખેલી વાતનો સંદર્ભનો ઉલ્લેખ કર્યેા છે.

તેમણે પોસ્ટમાં લખ્યું કે, ગીતામાં લખ્યું છે કે, યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે. નારણ કાછડીયાની પોસ્ટ બાદ પ્રદેશમાં ચર્ચા શ થઇ છે. જો કે કાછડિયાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે નારાજ ન હોવાનો દાવો કર્યેા છે. નારણ કાછડીયાએ બીજી પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યેા છે, જેના ટાઈટલમાં લખેલું છે કે, જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો. જો કે, આ બંન્ને પોસ્ટથી અમરેલીનું રાજકારણ ભારે ગરમાયું છે. આ પોસ્ટથી અનેક તર્ક વિતર્ક પણ શ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application