એફઆરસી માત્ર કાગળ પર: સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોની ફી મુદ્દે એનએસયુઆઈનું હલ્લાબોલ

  • July 20, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો દ્રારા વિધાર્થીઓ અને વાલીઓ પાસેથી લૂંટાતી ફી મુદ્દે એનએસયુઆઈ આજે આક્રમક બન્યું હતું. રાય સરકાર દ્રારા એવી જાહેરાતો કરવામાં આવી હતી કે ગુજરાતની કોઈપણ સેલ્ફ ફાયનાન્સ શાળામાં ૧૫૦૦૦–૨૫૦૦૦ના સ્લેબ મુજબ ફી લેવામાં આવશે પણ ત્યાર પછી આ વાત માત્ર કાગળ ઉપર રહીહતી. જિલ્લ ા શિક્ષણ અધિકારી તરીકે પ્રથમ નૈતિક જવાબદારી થાય છે કે સૌરાષ્ટ્ર્ર ઝોનની એફઆરસી (ફી રેગ્યુલર કમિટી) હાલમાં કાર્યરત ન હોય તો આપની પ્રથમ ફરજ બને છે કે નવા સભ્યોની નિમણૂક કરીને જે શાળાઓ વાલીઓને ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે તે ઉપર અંકુશ લાવવામાં આવે એવી માંગ છે. માત્ર કાગળ ઉપર ચાલતી એફઆરસી કમિટીએ આજ દિન સુધી સૌરાષ્ટ્ર્રની કોઈપણ પ્રાઈવેટ શાળામાં કડક કાયદાકીય કાર્યવાહી અનુસાર પગલા લેવામાં આવ્યા હોયતેવો એકપણ દાખલો અમારા ધ્યાને આવેલ નથી છ દિવસનો સમય આપીએ છીએ આ બાબતે યોગ્ય કરશો અન્યથા યાં પણ પ્રાઈવેટ શાળામાં મંજૂરી વગર આપ્રકારના ઉઘરાણા થતાં હશે ત્યાં એનએસયુઆઈ દ્રારા વિધાર્થીઓ અને વાલીઓ સાથે લઈ સ્થળ પર જઈ આંદોલનના મંડાણ થશે જેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ જિલ્લ ા શિક્ષણ અધિકારીની રહેશે.
 ડીઈઓ કચેરી દ્રારા કોઈ દિવસ સ્કૂલોમાં જઈને આ મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોય તો અમને જણાવો અન્યથા આગામી સમયમાં આવી શાળાઓ પર જઈને વાલીઓ અને વિધાર્થીઓ સાથે જઈને મીડીયા સાથે હલ્લ ાબોલ કરવામાં આવશે. આ બાબતે એક તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે. ચંદીપુરા વાયરસનું જોખમ પણ વધ્યું છે જેમાં બાળકો જ સૌથી વધુ ભોગ બને છે ત્યારે સાવચેતીના પગલા લેવામાં આવે અને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે જરૂર જણાય ત્યાં આરોગ્ય વિભાગને સાથે રાખી બાળકોનો આરોગ્યની કાળજી લેવામાં આવે જેથી શાળામાં કોઈ બાળકો સંક્રમિત ન થાય એવી પણ અમે આ તકે રજૂઆત કરવામાં આવે છે આ રજૂઆત સમયે નરેન્દ્ર સોલંકી પ્રમુખ તથા સભ્યો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application