જામનગરમાં તાજેતરમાં તા. ૧૨-૦૮-૨૦૨૪ ના રોજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી. નાગડા બીબીએકોલેજખાતે ‘એન.એસ.એસ. ઓરીન્ટેશન ડે’ની ઉજવણી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિકમલસિંહ ડૉડીયા, ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી રમણીકલાલ શાહ, સેક્રેટરીચંદુલાલ શાહ, ટ્રસ્ટી ડૉ. ભરતેષ શાહ, કોલેજ મેનેજમેન્ટ કમિટી મેમ્બર બીપીનભાઈ ઝવેરી, પ્રોગામ કોઓર્ડિનેટર-ડૉ. એન.કે. ડૉબરીયા, એન.એસ.એસ. ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેટર-ડૉ. સોનલબેન જોષી, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણ, સરકારી કોમર્સ કોલેજના આચાર્ય – ડૉ. એચ. બી. ઘેલાણી, જે.વી.આઈ.એમ.એસ. એમ.બી.એ. કોલેજના ડાયરેક્ટર ડૉ. અજય શાહ, સીઝેડએમજી બીસીએ કોલેજના પ્રિન્સિપાલ હેતલ સાવલા, સ્ટાફ ગણ તથા વિવિધ સંસ્થાનોમાંથી પધારેલ એન.એસ.એસ. સ્વયંસેવકો-વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્ર્મની શરૂઆત ડિજિટલ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણ દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત તેમજ કોલેજ મેનેજમેન્ટ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય તથા ગણેશ સ્તુતી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુલપતિ કમલસિંહ ડૉડીયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પ્રવચન તેમજ એન.એસ.એસ. દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવ્યા હતા. ડૉ. એન. કે. ડૉબરીયા દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. તેમજ ડૉ. સોનલબેન જોષી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સ્નેહલ કોટક પલાણનાં માર્ગદર્શન હેઠળ વાઇસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસના શિરે જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMજામનગરમાં સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી લોકોને શોધી કાઢવા માટે તલાશ
April 29, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech