બિન નિવાસી ભારતીયો (એન.આર.ઇ)એ રાજકોટની બેંકમાં આ વર્ષે રૂપિયા 252 કરોડ ઠાલવ્યા છે. વર્ષ 2022- 23માં રાજકોટની બેંકોમાં 7.052 કરોડ ત્યારે આ વર્ષે 7.305 કરોડ ડિપોઝિટ કરાવતા આ વર્ષે 252 કરોડનો વધારો નોંધાયો છે. એસ.એલ.બી.સી. ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં બિનનિવાસીય ભારતીયોની બેંક ડિપોઝિટમાં આ વર્ષે નજીવો વધારા સાથે રૂ.92.339 કરોડએ પહોંચી છે.
અમેરિકા અને બ્રિટનમાં નબળી આર્થિક પરિસ્થિતિ ના લીધે આ વર્ષે એનઆરઆઈ પરિવારોએ ઓછા રૂપિયા ડિપોઝિટ કરાવ્યા છે જેમાં કુલ ડિપોઝિટ ના 70% રકમ રાજકોટ, કચ્છ અમદાવાદ વડોદરા અને આણંદની બેંકમાં જમા થઈ છે. દિનકર ક્યાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સૌથી વધુ ફંડ વતનની બેન્કોમાં જમા કરાવતા હોય છે ત્યારે આ વર્ષે પશ્ચિમી દેશોમાં અર્થતંત્રની નબળી પરિસ્થિતિને લઈને ત્યાં બધા ભારતીયોની પણ આવક ઓછી થવાથી એન.આર.આઈ સભ્યોએ ઓછી ડિપોઝિટ કરાવી છે. બેંક અધિકારીઓના મત અનુસાર અમેરિકામાં પણ વ્યાજનો દર પાંચથી છ ટકા ચાલી રહ્યો છે જે ભારત કરતાં ઘણો ઊંચો હોવાથી બ્રિટન દુબઈ અને આફ્રિકન દેશોમાં પણ સારું વળતર મળી રહ્યું છે જેના લીધે ગુજરાતની બેન્કોમાં આ વર્ષે એનઆરઆઈ ડિપોઝિટમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.
70%થી વધુ રકમ રાજકોટ, કચ્છ અને બેંકમાં જમા થાય છે
સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 70% થી વધુ રકમ રાજકોટ કચ્છ અને અમદાવાદની બેંકમાં જમા થાય છે. એક વર્ષમાં રૂપિયા 416 કરોડનો ગુજરાતની બેંકમાં વધારો નોંધાયો છે તેમાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી સાત જિલ્લાઓમાં ઘટાડો થયો છે. ગાંધીનગરમાં એનઆરઆઈ ડિપોઝિટમાં 1550 કરોડનો ઘટાડો થયો છે જ્યારે અમદાવાદ ભરૂચમાં પણ 100 કરોડથી વધુ રકમનો ઘટાડો થયો છે. જ્યારે બે વર્ષના તફાવતમાં એનઆરઆઈ ડિપોઝિટમાં સૌથી વધુ વડોદરામાં 713 કરોડ નો વધારો થયો છે ત્યારબાદ રાજકોટમાં 252 કરોડ સુરતમાં 274 કરોડ અને આણંદમાં 373 કરોડ વધ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech